- ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ રમાઈ રહી છે
- પ્રથમ મેચ પલ્લેકેલેના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે
- આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી
ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરૂ થઈ ગઈ છે. આ સિરીઝ શનિવારથી શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. શ્રીલંકાએ પ્રથમ મેચમાં ટોસ જીત્યો હતો. આ પછી કેપ્ટન ચેરિથ અસલંકાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાંથી 3 સ્ટાર ખેલાડીઓને બહાર રાખ્યા હતા. જેના પર ચાહકો સવાલો ઉઠાવી રહ્યા છે.
સંજુ સેમસનને બહાર કરાયો
સિનિયર ખેલાડી સંજુ સેમસનને પ્રથમ મેચમાં તક આપવામાં આવી નથી. તેની જગ્યાએ રિષભ પંતે વિકેટકીપર તરીકે જગ્યા બનાવી છે. જ્યારે સેમસન અહીંની પિચોથી સારી રીતે પરિચિત છે. સેમસને ઝિમ્બાબ્વે સામેની છેલ્લી મેચમાં પણ 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
વોશિંગ્ટન સુંદરને ના મળી તક
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બીજો આશ્ચર્યજનક નિર્ણય વોશિંગ્ટન સુંદરને લઈને હતો. વોશિંગ્ટન એક ઉત્તમ સ્પિન ઓલરાઉન્ડર છે અને તે શાનદાર ફોર્મમાં છે. તેણે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો છે. વોશિંગ્ટન સુંદરની હકાલપટ્ટી ચાહકો માટે આઘાત સમાન હતી. આ સાથે બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલને તક આપવામાં આવી છે.
શિવમ દુબેને બદલે રિયાન પરાગ પર વિશ્વાસ કર્યો
અન્ય ઓલરાઉન્ડર શિવમ દુબેને બદલે યુવા ખેલાડી રિયાન પરાગ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે શિવમ દુબેને T20 વર્લ્ડકપ અને ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં સતત તક આપવામાં આવી હતી. રિયાન પરાગ પણ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરાગને સતત તક આપવામાં આવી રહી છે તેના પર ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (C), રિષભ પંત (WK), રિયાન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ