• ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર છે
  • ટી20 સિરીઝની પહેલી મેચ હરારેમાં રમાઈ રહી છે
  • ભારતીય ટીમ માત્ર એક સ્ટાર સાથે જર્સી પહેરીને મેદાનમાં ઉતરી

ભારતની યુવા ટીમે ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની ટી20 સિરીઝની શરૂઆત કરી છે. શનિવારે હરારેમાં રમાયેલી પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર્સે મેદાન પર ઉતર્યા, પરંતુ એક વાતે ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતીય ટીમ માત્ર એક સ્ટાર સાથે જર્સી પહેરીને મેદાનમાં ઉતરી હતી. તમને જણાવી દઈએ કે બે ટી20 વર્લ્ડકપ જીતનાર ટીમ ઈન્ડિયા શા માટે શુભમન ગિલની કેપ્ટનશીપમાં માત્ર એક જ સ્ટારવાળી જર્સી પહેરીને આવી છે.

સામે આવ્યું આ કારણ

એક સ્ટાર પાછળનું કારણ ઝિમ્બાબ્વે સામેની સિરીઝનો સમય છે. ટી20 વર્લ્ડકપની ફાઈનલ પહેલા જ ભારતીય ખેલાડીઓ ઝિમ્બાબ્વે જવા રવાના થઈ ગયા હતા. એટલે કે ટીમ ઈન્ડિયા જ્યારે ઝિમ્બાબ્વે જવા રવાના થઈ ત્યારે ભારત વર્લ્ડકપ જીત્યું ન હતું. આવી પરિસ્થિતિમાં, આ જર્સી પહેલેથી જ ડિઝાઈન કરવામાં આવી હતી.

 

ભારતીય ટીમ શ્રીલંકા સામે બે સ્ટારવાળી જર્સી પહેરશે

જ્યારે ખેલાડીઓ બાર્બાડોસથી ભારત પરત ફર્યા ત્યારે સંજુ સેમસને ટુ-સ્ટાર જર્સીનું અનાવરણ કર્યું હતું. આ જ કારણ છે કે 2 ટી20 વર્લ્ડકપ જીતવા છતાં જૂની જર્સી પર કોઈ બે સ્ટાર નથી. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી સિરીઝમાંથી જર્સી પર બે સ્ટાર્સ હશે. એટલે કે ભારતીય ટીમ શ્રીલંકા સામે બે સ્ટારવાળી જર્સી પહેરીને મેદાનમાં ઉતરી શકે છે.

Image - X

  • Follow us on: