• કેએલ રાહુલની ઈજાને લઈને મોટું અપડેટ
  • કેએલ રાહુલ સારવાર માટે લંડન પહોંચ્યો છે
  • રાહુલ પ્રથમ ટેસ્ટ મેચમાં થયો હતો ઈજાગ્રસ્ત

હવે ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલની ઈજાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. વાસ્તવમાં કેએલ રાહુલને પ્રથમ ટેસ્ટ મેચમાં ઈજા થઈ હતી. જે બાદ કેએલ રાહુલ બીજી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયો હતો. તે પછી, કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે સીરિઝની ચોથી ટેસ્ટ મેચ સુધી બહાર રહેવું પડ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા સિરીઝની છેલ્લી મેચ ધર્મશાળામાં રમશે. આ મેચમાં પણ કેએલ રાહુલની રમતને લઈને ફરી એકવાર સસ્પેન્સ છે.

રાહુલ સારવાર માટે લંડન પહોંચ્યો

કેએલ રાહુલે સીરિઝની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જે બાદ રાહુલને ઈજાના કારણે સીરિઝની આગામી ત્રણ મેચમાંથી બહાર થવું પડ્યું હતું. એક અહેવાલ મુજબ, કેએલ રાહુલ સારવાર માટે લંડન પહોંચી ગયો છે કારણ કે તે હજુ સુધી સંપૂર્ણ ફિટનેસ પ્રાપ્ત કરી શક્યો નથી. કેએલ રાહુલની ફિટનેસનું મૂલ્યાંકન BCCI અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ રાહુલને સારવાર માટે લંડન મોકલવામાં આવ્યો હતો.

રાહુલની વાપસી અંગે સસ્પેન્સ

જો કે, કેએલ રાહુલની વાપસી અંગે BCCI દ્વારા હજુ સુધી કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. કેએલ રાહુલનું તાજેતરનું પ્રદર્શન પણ ઘણું શાનદાર છે. ટેસ્ટ અને ODI ક્રિકેટમાં કેએલ રાહુલે ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર બેટ્સમેન તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. કેએલ રાહુલે ઈંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં વિકેટકીપિંગ કરી ન હતી.

 ધ્રુવ જૂરેલનું શાનદાર પ્રદર્શન

તેની જગ્યાએ કેએસ ભરત વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો. જોકે કેએસ ભરત સીરિઝની પ્રથમ બે મેચમાં ફ્લોપ સાબિત થયો હતો. જે બાદ ત્રીજી મેચમાં ધ્રુવ જુરેલને વિકેટકીપર બેટ્સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવ્યો હતો અને ધ્રુવે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. રાંચી ટેસ્ટ મેચમાં ધ્રુવને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 3-1થી અજેય સરસાઈ મેળવી છે.

  • Follow us on: