• હૈદરાબાદ ટેસ્ટમાં ભારતીની 28 રનથી હાર
  • આ મેચમાં શુભમન ગિલ સંપૂર્ણ ફલોપ રહ્યો
  • આગામી મેચમાં ગિલ અને સિરાજ થશે બહાર

હૈદરાબાદ ટેસ્ટમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને આ મેચ 26 રને હારવી પડી હતી. આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર છે, ભારત છેલ્લા 14 વર્ષથી આ મેદાન પર એકપણ મેચ હાર્યું નથી, પરંતુ હવે ફરી એકવાર ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ટીમને પ્રભાવિત કરી છે, જ્યારે કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમણે ટીમને સંપૂર્ણપણે નિરાશ કરી છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા આગામી મેચમાં આવા ખેલાડીઓને રમાડવાની ભૂલ ક્યારેય નહીં કરે. તે બે ખેલાડીઓ કોણ છે જેમનું ટીમમાંથી બહાર થવું નિશ્ચિત માનવામાં આવે છે.

શુભમન ગિલનું પત્તુ કપાઈ શકે

ભારતની હાર બાદ એ વાત નિશ્ચિત છે કે જે ખેલાડીઓ હૈદરાબાદ ટેસ્ટમાં કંઈ ખાસ કરી શક્યા નહોતા તેમને ટીમમાંથી બહાર કરવામાં આવશે. પ્રથમ ખેલાડી ભારતના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ છે. ટેસ્ટ ક્રિકેટમાં ગિલનું બેટ એકદમ શાંત રહ્યું છે. ગિલ લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ફ્લોપ રહ્યો છે. તેને સતત ટીમનો ભાગ પણ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં ખેલાડી તેના બેટથી રન બનાવી રહ્યો નથી, આવી સ્થિતિમાં ગિલને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવશે તે નિશ્ચિત માનવામાં આવે છે. ગિલ છેલ્લી 11 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર 173 રન બનાવી શક્યો છે. તેને સાઉથ આફ્રિકા પણ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં પણ ગિલનું બેટ શાંત રહ્યું. આવી સ્થિતિમાં ગિલ આગામી મેચમાંથી બહાર થઈ શકે છે, તેની જગ્યાએ ધ્રુવ જુરેલને તક આપવામાં આવી શકે છે.

મોહમ્મદ સિરાજ પણ થઈ શકે છે બહાર

બીજા ખેલાડી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છે. હૈદરાબાદ ટેસ્ટમાં રોહિત શર્માએ મોહમ્મદ સિરાજને કુલ 11 ઓવર ફેંકી છે. સિરાજે પ્રથમ દાવમાં 4 અને બીજી ઇનિંગમાં 7 ઓવર ફેંકી હતી. ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સ સહિત ફુલ ટાઈમ બોલર માત્ર 11 ઓવરની બોલિંગ કરાવે છે તે દર્શાવે છે કે ટીમને સિરાજ પર ભરોસો નથી. આવી સ્થિતિમાં તેને આગામી મેચમાંથી બહાર કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં જો સિરાજ આઉટ થાય છે તો તેની જગ્યાએ ફાસ્ટ બોલર મુકેશ કુમારને સામેલ કરવામાં આવી શકે છે.

  • Follow us on: