• ભારત-પાક.વચ્ચે આજે મહામુકાબલો
  • કોબંલોમાં સુપર-4ની મેચ રમાશે
  • પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ હતી

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં મેચ રમવામાં આવશે. આ પહેલાં એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાન મેચ વરસાદના કારણે રદ થઈ હતી, પરંતુ રવિવારે હવામાન સાફ છે. જેથી મેચ યોગ્ય સમયે શરૂ થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્ટેડિયમની ફોટો શેર કર્યો છે અને વેધર અપડેટ આપ્યું છે.

આજે વરસાદ વિઘ્ન નહીં બને

એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં ભારત-પાકિસ્તાનની મેચ પૂર્ણ થઈ નહતી. ટીમ ઈન્ડિયાની ઈનિંગ બાદ ભારે વરસાદના કારણે મેચ સ્થગિત કરવી પડી હતી, પરંતુ હવે બંને ટીમ સુપર-4માં આમને-સામને મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારત-પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર.પ્રેમદાસ સ્ટેડિયમમાં મેચ રમવામાં આવશે. PCBએ આ સ્ટેડિયમની એક ફોટો શેર કરીને હવામાનનું અપડેટ આપ્યું છે. ભારતના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પણ કહ્યું કે, કોલંબોમાં અત્યારે હવામાન સાફ છે.


3 વાગ્યે મેચ શરૂ થશે

ઉલ્લેખનીય છે કે, કોલંબોમાં રવિવારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહીલ છે, પરંતુ અત્યારે મેદાનમાં તડકો છે. આ મેચની શરૂઆત બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. મેચ શરૂ થયાના અડધા કલાક પહેલાં ટોસ થશે. 

  • Follow us on: