- ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ
- ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાશે
- સિરીઝની તમામ મેચો ભારતમાં સાંજે 4.30 વાગ્યે શરૂ થશે
ભારતીય ટીમ હવે તેની આગામી સિરીઝ માટે તૈયાર છે. T20 વર્લ્ડકપ 2024 બાદ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 ઇન્ટરનેશનલ મેચોની સિરીઝ શરૂ થવાની છે. આ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી, જેની કેપ્ટનશીપ શુભમન ગિલ કરી રહ્યો છે. T20 વિશ્વ વિજેતા ટીમના ઘણા ખેલાડીઓ આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ પહેલા જ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. દરમિયાન, તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમે ભારતમાં આ મેચો કયા સમયે જોઈ શકશો, કારણ કે મેચોનો સમય બદલાઈ ગયો છે, જો થોડી પણ ભૂલ થાય તો મેચ ચૂકી શકાય છે.
આ સમયે શરૂ થશે મેચ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની પ્રથમ મેચ 6 જુલાઈએ રમાશે. આ દિવસે શનિવાર છે. બીજી મેચ બીજા દિવસે એટલે કે રવિવારે યોજાશે. એટલે કે બેક ટુ બેક સળંગ બે મેચ થશે. આ તમામ મેચો ભારતમાં સાંજે 4.30 વાગ્યે શરૂ થશે, ટોસ તેના અડધો કલાક પહેલા એટલે કે બરાબર 4 વાગ્યે થશે. મેચો રાત્રે 8 થી 8:30 દરમિયાન સમાપ્ત થશે. અત્યાર સુધી તમે T20 વર્લ્ડ કપ જોઈ રહ્યા હતા. ભારતીય ટીમની મેચો રાત્રે 8 વાગ્યે શરૂ થઈ રહી હતી.
સિરીઝ દરમિયાન યુવા ખેલાડીઓ ફોકસમાં રહેશે
પાંચ મેચોની T20 સિરીઝની છેલ્લી મેચ 14 જુલાઈએ રમાશે. એટલે કે અઠવાડિયામાં 5 મેચ થશે. આ માટે શુભમન ગિલની કેપ્ટન્સીવાળી ટીમ ઝિમ્બાબ્વેના હરારે જવા રવાના થઈ ગઈ છે. તમામ મેચ ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં રમાવાની છે. જો કે આ સિરીઝ ખાસ નથી, પરંતુ આ માટે BCCIએ યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેથી, જે ખેલાડીઓએ IPLમાં પોતાની રમતથી છાપ છોડી છે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાને સાબિત કરવાની તક મળશે
ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.