• બુધવારે રમાશે IND vs BANની મેચ
  • રોહિત શર્મા કરશે ટીમને લીડ
  • દિનેશ કાર્તિક ફિટ નહીં હોય તો પંત રમશે

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બુધવારે એક ખાસ મેચ રમાશે. ભારતની નજરે આ મેચ ખાસ બની રહેશે કેમકે સાઉથ આફ્રિકાના વિરોધમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને માટે પણ સેમીફાઈનલમાં પહોંચવા માટે આ મેચને જીતવી જરૂરી છે. બાંગ્લાદેશ સામે રમ્યા બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેની સામે 6 નવેમ્બરે રમશે. ભારતે સરળતાથી સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરવું છે તો આ બંને મેચ જીતવી જરૂરી છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના વિરોધમાં મેચમાં ભારતે ટીમમાં કેટલાક ફેરફાર પણ કર્યા હતા પણ તે ખાસ કમાલ કરી શક્યા નથી.

ઋષભ પંત હજુ પણ પોતાનું સ્થાન ટીમમાં શોધી રહ્યા છે

પંત હજુ પણ આખરી 11માં પોતાનું સ્થાન શોધી રહ્યા છે. દિનેશ કાર્તિકના આવવાથી થોડા સમયથી પંતને અમે આખરી 11માં ઓછા જોઈ રહ્યા છીએ. આ સમયે દક્ષિણ આફ્રિકાના વિરોધની મેચમાં અમે જોયું કે દિનેશ કાર્તિક ઈજાગ્રસ્ત થવાનાકારણે આખરી 5 ઓવર્સમાં પંત વિકેટકીપિંગ કરી રહ્યા હતા. કાર્તિક અહીં બાંગ્લાદેશ સામેની મેચમાં ફિટ નહીં થઈ શકે તો પ્લેઈંગ 11માં પંતને લઈ શકાશે. સાથે ટીમમાં અક્ષર પટેલની વાપસી પણ થઈ શકે છે.

બાંગ્લાદેશ સામે ભારતની સંભાવિત પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), કે એલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ. 

  • Follow us on: