• BCCI લઈ શકે છે કેપ્ટન્સ પર એક્શન
  • સ્લો ઓવર રેટના કારણે ગાયકવાડ અને પંતનું નામ પણ ઉમેરાયું
  • ફ્રેન્ચાઈઝીઓને નુકસાન થવાની સાથે નવા કેપ્ટન બનાવવાનું ટેન્શન

આઈપીએલ 2024માં અત્યાર સુધી તો બધુ સારું ચાલી રહ્યું છે પણ જલ્દી ઘણું બદલાઈ શકે છે. બીસીસીઆઈ આઈપીએલના કેપ્ટન પર મોટું એક્શન લેવાની તૈયારીમાં છે. હવે આઈપીએલ 2024માં 1-2 નહીં પણ 7 ટીમના કેપ્ટન પર બૅન લાગી શકે છે. તેનાથી ફ્રેન્ચાઈઝી પણ ટેન્શનમાં છે. પહેલા આ લિસ્ટમાં 5 કેપ્ટનના નામ સામેલ હતા પણ હવે તેમાં 2 ખેલાડીના નામ ઉમેરાયા છે. તો જાણો કયા 7 કેપ્ટનનું ટેન્શન વધી રહ્યું છે.

રાહુલ અને ઋતુરાજનું જોડાયું નામ

ઉલ્લેખનીય છે કે ચેન્નઈ અને લખનૌમાં રમાયેલી મેચ બાદ ગાયકવાડ અને કેએલ રાહુલની મુશ્કેલીઓ વધી છે. બંને ટીમના કેપ્ટન પર બૅનનો ખતરો વધી રહ્યો છે. બીસીસીઆઈએ મેચ બાદ આ બંને કેપ્ટન પર 12-12 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. બંને સ્લો ઓવર રેટના કારણે દંડ ભોગવી ચૂક્યા છે. તેનાથી મેચ પહેલા અત્યાર સુધી બીસીસીઆઈ દ્વારા 5 કેપ્ટનને દંડ લાગ્યો હતો. હવે 2 અન્ય કેપ્ટનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થયું છે. આ ખાસ લિસ્ટમાં હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, સંજુ સેમસન, ઋષભ પંત, શ્રેયસ ઐય્યર, ઋતુરાજ ગાયકવાડ અને કેએલ રાહુલનું નામ પણ સામેલ થયું છે.

 

પંત માટે મુશ્કેલ સમય 

આ લિસ્ટમાં સામેલ કેપ્ટનમાં સૌથી વધુ મુશ્કેલી દિલ્હીના કેપ્ટન પંતને માટે છે. પંત પર 2 વખત દંડ થઈ ચૂક્યો છે. પંત પર જો એક વધુ એક અને સ્લો ઓવર રેટનો દંડ લાગે છે તો તેને એક મેચ માટે બૅન કરવામાં આવશે. તમામ 7 કેપ્ટનની મુશ્કેલીઓ વધી રહી છે. ખાસ વાત એ છે કે કોઈ પણ કેપ્ટન પર બૅન લાગે છે તો તેનાથી ફ્રેન્ચાઈઝીની સાથે સાથે ફેન્સને પણ નુકસાન થઈ શકે છે. એવામાં સીઝનના કેપ્ટન બદલવા પડી શકે છે. બીસીસીઆઈના મોટા નિર્ણયના કારણે આઈપીએલની વચ્ચે મોટો ઉલટફેર જોવા મળી શકે છે.

લખનૌની શાનદાર જીત

આઈપીએલ 2024ની 34મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની વચ્ચે રમાશે. આ મેચમાં કેએલ રાહુલની અધ્યક્ષતામાં ટીમ એલએસજીને જીત મળી છે. આ સાથે જ લખનૌ આ સીઝનમાં 7મેચ રમી અને 4 મેચ જીતી છે. અન્ય તરફ ઋતુરાજ ગાયકવાડની અધ્યક્ષતાની ચેન્નઈ સુપર કિંગ્સ 7માંથી 4 મેચ જીતી છે. બંને ટીમો 4-4 મેચ જીતી છે. નેટ રન રેટ સારો હોવાના કારણે ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. લખનૌની ટીમ 5મા સ્થાને કાયમ છે. 

  • Follow us on: