• હરાજીમાં નામ મુકવા મારો સંપર્ક કરાયો
  • લોકો સારા વ્યક્તિને કરે છે પસંદ
  • અનુષ્કા સાથે કરૂ છુ ચર્ચા

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના પ્રતિષ્ઠિત ક્રિકેટ કરિયરમાં અત્યાર સુધી ઘણા એવોર્ડ જીત્યા છે, પરંતુ 2008થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમી રહેલો કોહલી એક વખત પણ IPL ટાઈટલ જીતી શક્યો નથી. ઘણા પ્રસંગોએ મજબૂત ટીમ હોવા છતાં RCB માત્ર ઇવેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. જ્યારે વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું કે શું તે ક્યારેય અન્ય કોઈ ફ્રેન્ચાઈઝીમાં જોડાવાનું વિચારે છે તો તેણે શાનદાર જવાબ આપ્યો હતો.

હું RCB ને વફાદાર

વિરાટ કોહલીએ RCB સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે હરાજીમાં તેમના નામ મૂકવા માટે ઘણી ફ્રેન્ચાઈઝીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. પરંતુ, તેણે બેંગલુરુ ફ્રેન્ચાઈઝીને વફાદાર રહેવાનું નક્કી કર્યું. તેણે કહ્યું, 'સાચું કહું તો, મેં તેના વિશે વિચાર્યું, અને મારું નામ ત્યાં મુકવા માટે અથવા કોઈક રીતે હરાજીમાં આવવા માટે મને ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો હતો.'

ટાઇટલ કરતા વ્યક્તિત્વ મહત્વનું

કોહલીએ કહ્યું કે 'મેં તેના વિશે વિચાર્યું, મને લાગ્યું કે દિવસના અંતે દરેક વ્યક્તિની પાસે X સંખ્યા જેટલા વર્ષ હોય છે જે તેઓ જીવે છે અને પછી તમે મરી જાઓ છો અને જીવન આગળ વધે છે. એવા ઘણા મહાન લોકો હશે જેમણે ટ્રોફી જીતી છે પરંતુ કોઈ તમને આ રીતે સંબોધતું નથી. કોઈ તમને રૂમમાં સંબોધતું નથી જેમ કે 'ઓહ, તે IPL ચેમ્પિયન છે અથવા તે વર્લ્ડ કપ ચેમ્પિયન છે.

લોકો સારાવ્યક્તિને કરે છે પસંદ 

કોહલીએ RCBમાં રહેવાના નિર્ણય પાછળની માનસિકતા સમજાવી, 'એવું લાગે છે કે જો તમે સારા વ્યક્તિ છો, લોકો તમને પસંદ કરે છે, જો તમે ખરાબ વ્યક્તિ છો, તો તેઓ તમારાથી દૂર રહે છે. અને આખરે આ જ જીવન છે. 2022 માં RCB સાથેની વાતચીતમાં કોહલીએ કહ્યું હતુ કે 'RCB સાથેની વફાદારી મારા માટે એ હકીકત કરતાં ઘણી વધારે છે કે રૂમમાં પાંચ લોકો કહેશે ઓહ આખરે તમે કોઈપણ xyz સાથે IPL જીતી ગયા. પછી તમે પાંચ મિનિટ માટે સારું અનુભવો છો, પરંતુ પછી છઠ્ઠી મિનિટે તમે જીવનની કેટલીક અન્ય સમસ્યાઓથી નાખુશ થઇ શકો છો.'

RCB એ મને શરૂઆતમાં સપોર્ટ કર્યો

તેણે કહ્યું કે, 'આ ફ્રેન્ચાઈઝીએ મને પ્રથમ ત્રણ વર્ષમાં તકોના સંદર્ભમાં જે આપ્યું છે અને મારામાં વિશ્વાસ રાખ્યો છે એ સૌથી ખાસ બાબત છે, કારણ કે મેં કહ્યું તેમ ઘણી ટીમો હતી જેમની પાસે તક હતી, પરંતુ તેઓએ મને સપોર્ટ ના કર્યો. ના તેમણે મને સાથ આપ્યો. તેથી હવે જ્યારે હું સફળ છું, મારે એવા લોકોના મંતવ્યમાં ન આવવું જોઈએ જેઓ IPL ને 'પરંતુ' કહે છે.

અનુષ્કાનો અભિપ્રાય મહત્વપૂર્ણ

કોહલીએ એ પણ ખુલાસો કર્યો કે જ્યારે આવા મોટા નિર્ણયો લેવાની વાત આવે છે, ત્યારે માત્ર તેની પત્ની અનુષ્કા શર્માનો અભિપ્રાય તેના માટે મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું, 'હું ખરેખર પ્રામાણિકપણે મારા અને અનુષ્કા સિવાય અન્ય કોઈ ત્રીજા વ્યક્તિ વિશે ચર્ચા કરવાની પણ પરવા કરતો નથી. 'બીજું કંઈ કે બીજા કોઈનો અભિપ્રાય મારા માટે બિલકુલ મહત્વનો નથી.'

  • Follow us on: