- BCCIએ પંજાબના કપ્તાન સેમ કરનને ફટકાર્યો દંડ
- આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ફટકાર્યો દંડ
- કરન અનુચ્છેદ 2.8 મુજબ લેવલ 1ના ગુનામાં દોષિત
IPL 2024ની અડધી સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ સિઝનમાં પંજાબ કિંગ્સનું પ્રદર્શન કઈ ખાસ રહ્યું નથી. IPL 2024ની 37મી મેચમાં પંજાબને ગુજરાત ટાઈટન્સ સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે પંજાબને પ્લેઓફમાં ક્વોલિફાય કરવું મુશ્કેલ બની ગયું છે. આ ટૂર્નામેન્ટમાં પંજાબે અત્યાર સુધી 8 મેચ રમી છે. જેમાંથી માત્ર 2 મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. જ્યારે હારની સિક્સર લગાવી છે. પંજાબ પહેલાથી જ કાયમી કપ્તાન શિખર ધવની ઈજાને કારણે મુશ્કેલીમાં છે. ગુજરાત સામેની હાર બાદ પંજાબને વધુ એક મુશ્કેલીમાં મુકાઈ છે. BCCIએ પાર્ટ ટાઈમ કપ્તાન સેમ કરનને દંડ ફટકાર્યો છે.
સેમ કરન દોષિત













