• વરૂણ ચક્રવર્તી 2021માં રમાયેલા T20 વર્લ્ડકપમાં રમતો જોવા મળ્યો
  • વરૂણને ખોટી અફવાઓ ફેલાવીને ટીમથી દૂર રાખવામાં આવ્યો
  • વરૂણ માત્ર ત્રણ મેચ રમીને ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો

વરૂણ ચક્રવર્તી 2021માં રમાયેલા T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે રમતા જોવા મળ્યા હતા. ખરાબ પ્રદર્શનના કારણે તે અત્યાર સુધી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શક્યો નથી. હવે સ્પિનરે મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે તેને ખોટી અફવાઓ ફેલાવીને ટીમથી દૂર રાખવામાં આવ્યો હતો. વરૂણે કહ્યું કે લોકો બહાના બનાવતા રહ્યા કે હું ઇજાગ્રસ્ત થયો છું, પરંતુ હું આટલા લાંબા સમય સુધી ઇજાગ્રસ્ત નથી રહ્યો.

તમને જણાવી દઈએ કે વરૂણને IPL 2020 પછી T20 વર્લ્ડકપ 2021 માટે પસંદ કરવામાં આવ્યો હતો. વરૂણને યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જેવા સ્ટાર સ્પિનરો કરતાં આગળ મૂકવામાં આવ્યો હતો. વરૂણ ટૂર્નામેન્ટની માત્ર ત્રણ મેચ રમીને ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો અને અત્યાર સુધી તે વાપસી કરી શક્યો નથી.

વરૂણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું

હવે વરૂણે પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું, "વર્લ્ડકપ પૂરો કર્યા પછી આ ખૂબ જ મુશ્કેલ હતું. આ કોઈ મોટી ઈજા નહોતી. તે ખૂબ જ નાની ઈજા હતી. મને કમબેક કરવામાં માત્ર 2 કે 3 અઠવાડિયાનો સમય લાગ્યો હતો. પરંતુ તે પછી મને સાઇડલાઇન કરવામાં આવ્યો અને લોકોએ મને બહાનું આપવાનું શરૂ કર્યું કે હું ઘાયલ થયો છું. બીજી બાજુ, હું આટલા લાંબા સમય સુધી ઇજાગ્રસ્ત નહોતો."

ખોટી અફવા ફેલાવાઇ

ભારતીય સ્પિનરે આગળ કહ્યું, "મને ખબર નથી કે આ માત્ર એક અફવા હતી અને કોઈ મારા વિશે આ સમાચાર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું જેથી કરીને તેઓ મને સાઇડ પર મૂકી શકે. આનું નામ જ જીવન છે. તે યોગ્ય નથી. આ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું."

માનસિક શાંતિને અસર થઈ

વરૂણે કહ્યું કે તે ફરીથી ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માંગતો હતો, જેના કારણે તેણે ઘણી વસ્તુઓ કરી અને તેનાથી તેની માનસિક શાંતિ પર અસર થઈ. સ્પિનરે કહ્યું, "આઈપીએલ 2022 સારી સીઝન ન હતી કારણ કે 2021માં વર્લ્ડકપ પછી મારી સાથે જે બન્યું હતું, હું ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માટે બેતાબ હતો. હું મારી જાતને દરેકની સામે સાબિત કરવા માંગતો હતો. હું બેબાકળો હતો. બોલિંગમાં ઘણી વસ્તુઓ બદલાવા લાગી, જેના કારણે મારી માનસિક શાંતિ પર અસર થઈ અને હું સામાન્ય રીતે બોલિંગ પણ કરી શક્યો નહીં. તેથી જ આઈપીએલ મારા માટે ખરાબ છે."

  • Follow us on: