- IPLની છેલ્લી સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી રહી ન હતી
- રોહિત શર્માની સાથે વધુ બે દિગ્ગજ ખેલાડી છોડી શકે છે MI
- આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી
IPLની છેલ્લી સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી રહી ન હતી. હવે IPL 2025 પહેલા તેની સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, રોહિત શર્માની સાથે વધુ બે દિગ્ગજ ખેલાડી ટીમ છોડી શકે છે. સમાચાર છે કે જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પણ ટીમ છોડી શકે છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
હાર્દિક પંડ્યાને બનાવ્યો મુંબઇનો કેપ્ટન
મુંબઈએ ગત સિઝનમાં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. પંડ્યા ટીમ સાથે જોડાયા કે તરત જ રોહિત શર્માને કેપ્ટન્સી પરથી હટાવી દેવામાં આવ્યો. ચાહકોએ સોશિયલ મીડિયા પર રોહિતને કેપ્ટનશીપથી હટાવવાનો વિરોધ કર્યો હતો. આ સાથે ટીમના ખેલાડીઓ પણ ખુશ નહોતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈના ખેલાડીઓ પંડ્યાના વલણથી ખુશ ન હતા. હવે તેની અસર આગામી સિઝનમાં પણ જોવા મળી શકે છે.
આ 3 ખેલાડી છોડી શકે છે મુંબઇનો સાથ
સુત્રોના જણાવ્યા અનુસાર રોહિતની સાથે સૂર્યા અને બુમરાહ પણ મુંબઈ છોડી શકે છે. મુંબઈ માટે ખિતાબ જીતવામાં આ ત્રણેય દિગ્ગજ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. પરંતુ હવે તેઓ અલગ થવા તરફ આગળ વધી રહ્યા છે. બુમરાહ અને સૂર્યાનું રોહિત સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. તેની અસર રમતગમતમાં પણ જોવા મળે છે. જો આ ત્રણેય મુંબઈની બહાર રહેશે તો ટીમને મોટું નુકસાન થશે.
આ ટીમમાં જઇ શકે છે રોહિત
જો રોહિત મુંબઈ છોડે છે તો તે ગુજરાત ટાઇટન્સ અથવા દિલ્હી કેપિટલ્સમાં જોડાઈ શકે છે. રિષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડીને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાઈ શકે છે. રિપોર્ટ અનુસાર દિલ્હી પંતથી ખુશ નથી. ગુજરાતની કેપ્ટનશીપ શુભમન ગિલ કરી રહ્યો છે. પરંતુ તેની પાસે હજુ સુધી કેપ્ટનશિપ સંબંધિત વધુ અનુભવ નથી.