• પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં વિવાદ યાથવત
  • PCB અને ખેલાડીઓ વચ્ચે અણબનાવ
  • ત્રણ ખેલાડી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નકારી શકે છે

પાકિસ્તાનની ટીમમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે અણબનાવ શરૂ થયો છે. પહેલા વિદેશી કોચે પોતાનું પદ છોડી દીધું. ત્યારે ઝકા અશરફે પણ પીસીબીના અધ્યક્ષ પદને ફગાવી દીધું છે. હવે પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ બોર્ડથી નારાજ છે. સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ઘણા મોટા ખેલાડીઓ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો અસ્વીકાર પણ કરી શકે છે. શા માટે ખેલાડીઓ તેમના બોર્ડથી નારાજ છે. આ સમગ્ર વિવાદનું મૂળ શું છે?

PCB નથી આપી રહ્યું NOC

વાસ્તવમાં, ઝકા અશરફે પદ છોડ્યા બાદ પાકિસ્તાન બોર્ડ ખેલાડીઓને વિદેશી લીગ રમવાની મંજૂરી આપી રહ્યું નથી. બોર્ડે ખેલાડીઓને વિદેશી લીગ રમવા માટે NOC આપવાનો ઈન્કાર કર્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ખેલાડીઓ બોર્ડથી નારાજ છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ફરજમાંથી મુક્ત થયા બાદ પણ ખેલાડીને NOC આપવામાં આવી રહી નથી. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ખેલાડીઓ ટીમ સાથેના તેમના રાષ્ટ્રીય કરારને લાત મારી શકે છે. પાકિસ્તાની ખેલાડીઓ માત્ર પાકિસ્તાની લીગ જ નહીં પરંતુ કેટલીક વિદેશી લીગ પણ રમે છે.

3 ખેલાડીઓને મળી નથી NOC

આ મામલાની માહિતી આપતા પીસીબીના એક સૂત્રએ જણાવ્યું કે તાજેતરમાં પાકિસ્તાની ખેલાડીઓ જમાન ખાન, ફખર ઝમાન અને હારિસ રૌફને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બોર્ડે આ પાછળનું કારણ જણાવતા કહ્યું કે ખેલાડીઓ પાકિસ્તાન લીગ સાથે 2 સુપર લીગ રમી ચૂક્યા છે, તેથી તેમને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ રમવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બીજી તરફ, લીગ રમવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે કરાર પર હસ્તાક્ષર ન કરનાર કોઈપણ ખેલાડી માટે કોઈ જવાબદારી નથી. આવી સ્થિતિમાં, શક્ય છે કે કેટલાક ખેલાડીઓ રાષ્ટ્રીય કરારને નકારી પણ શકે.

એક વર્ષમાં ત્રણ અધ્યક્ષ

તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મેનેજમેન્ટના અધ્યક્ષ ઝકા અશરફે રાજીનામું આપ્યું હતું. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નવો અધ્યક્ષ મળ્યો છે. પીસીબીના નવા અધ્યક્ષનું નામ મોહસિન નકવી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં એક વર્ષમાં ત્રણ અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે.

  • Follow us on: