• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
  • રોહિત શર્માએ અંગત રેકોર્ડ પર તોડ્યું પોતાનું મૌન
  • રોહિતે કહ્યું 2019માં 5 સદી ફટકાર્યા પછી પણ હાર્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ સિરીઝની પ્રથમ 2 મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ સીરીઝ વચ્ચે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અંગત રેકોર્ડને લઈને મોટું નિવેદન આપ્યું છે.

રોહિત શર્માએ અંગત રેકોર્ડ પર તોડ્યું મૌન

રોહિત શર્માએ અંગત રેકોર્ડને લઈને જે કહ્યું છે તેના પરથી એવું પણ લાગે છે કે રોહિતે ઈશારા દ્વારા કોહલી પર નિશાન સાધ્યું છે. જ્યારે પણ અંગત વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત થાય છે, ત્યારે વિરાટ કોહલીની વાત ચોક્કસ થાય છે. કોહલી વિશે ઘણા ખેલાડીઓએ નિવેદન આપ્યું છે કે તે ટીમની જરૂરિયાતો કરતાં પોતાના અંગત રેકોર્ડ પર વધુ ધ્યાન આપે છે. હવે રોહિત શર્માએ પણ અંગત રેકોર્ડ પર પોતાનું મૌન તોડ્યું છે.ટ

'વ્યક્તિગત રેકોર્ડ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ'

રોહિત શર્માએ કહ્યું કે ભારતમાં અંગત આંકડાઓની અતિશયોક્તિ કરવામાં આવે છે. ભારતમાં સંખ્યાને લઈને ઘણી વાતો થાય છે, પરંતુ તે ટીમ માટે સારું નથી. અમે નથી ઈચ્છતા કે અમારા ખેલાડીઓ વ્યક્તિગત આંકડા પર ધ્યાન કેન્દ્રિત કરે. આ સાથે રોહિતને 2019નો વર્લ્ડ કપ યાદ આવી ગયો.

2019માં 5 સદી ફટકાર્યા પછી પણ હાર્યા

રોહિતે કહ્યું કે મેં 2019 વર્લ્ડકપમાં 5 સદી ફટકારી હતી, પરંતુ તેમાંથી શું થયું. તેમ છતાં અમે હારી ગયા. વ્યક્તિગત રેકોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવું ટીમ માટે નુકસાનકારક છે. રોહિતના આ નિવેદન પરથી લાગે છે કે તેણે આડકતરી રીતે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે.

  • Follow us on: