• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે
  • સિરીઝમાં ભારતના સિનિયર ખેલાડીઓ વાપસી કરી રહ્યા છે
  • રોહિત શર્માએ આ સિરીઝમાં બોલિંગ અંગે કર્યો મોટો ખુલાસો

શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા બોલિંગ કરશે કે નહીં તે અંગે મોટો ખુલાસો થયો છે. શ્રીલંકા સામેની પ્રથમ વનડે દરમિયાન ટોસ દરમિયાન રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે તે બોલિંગ કરશે કે નહીં. આ અંગે તેમણે મોટી પ્રતિક્રિયા આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝમાં ભારતના સિનિયર ખેલાડીઓ વાપસી કરી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા પણ આ સિરીઝમાં વધુમાં વધુ રન બનાવવા ઈચ્છશે. તે લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે .

રોહિત શર્માએ બોલિંગ અંગે કર્યો ખુલાસો

પ્રથમ વનડેના ટોસ દરમિયાન રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે શું તે આ વખતે બોલિંગ કરતો જોવા મળશે. જવાબમાં રોહિત શર્માએ કહ્યું, હું આ સિરીઝમાં બોલિંગ નહીં કરું. હું ફક્ત મારી બેટિંગ પર ધ્યાન આપીશ. અમારી ટીમમાં ઘણા એવા બોલર છે જે મેચ દરમિયાન બોલિંગ કરતા જોવા મળશે.

T20 વર્લ્ડકપ બાદ મેદાનમાં વાપસી

રોહિત શર્મા T20 વર્લ્ડકપની ફાઈનલ બાદ ફરી મેદાનમાં પરત ફરી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ઘણા મહત્વના ખેલાડીઓને T20 વર્લ્ડકપ 2024 પછી આરામ આપવામાં આવ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે આ બધા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા પરત નહીં ફરે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા માત્ર 6 ODI હોવાના કારણે, નવા હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત અને કોહલી સાથે વાત કરી અને તેમને સિરીઝ રમવા માટે રાજી કર્યા હતા. આ કારણે બંને પરત ફર્યા હતા. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે.

ગૌતમ ગંભીરને લઈને પ્રતિક્રિયા આપી હતી

રોહિત શર્માએ પણ ગૌતમ ગંભીરને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે અમે ક્રિકેટ વિશે વાત કરી રહ્યા હતા અને ટીમને કેવી રીતે આગળ લઈ જવી. ટીમમાં ક્યાં કમી છે અને ક્યાં પ્રદર્શન કરવું પડશે? અમે અહીં શ્રીલંકામાં મળ્યા અને તેથી જ અમે ઘણી વાતો કરી. એટલા માટે અમે અમારી યોજનાઓ અને આગામી ટુર્નામેન્ટ વિશે વાત કરી રહ્યા હતા.

  • Follow us on: