• આ વર્ષના અંતમાં યોજાઇ શકે છે IPL 2025ની મેગા હરાજી
  • ઘણા ખેલાડીઓ પોતાની ટીમનો છોડી શકે છે સાથ
  • આ લિસ્ટમાં રિષભ પંતનું નામ ટોપ પર છે

IPL 2025 ની મેગા હરાજી આ વર્ષના અંતમાં યોજાઇ શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર આગામી IPL સિઝન પહેલા ટીમોમાં ઘણા મોટા ફેરફાર થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક એવા ખેલાડીઓ છે જે વર્ષોથી તેમની ટીમ સાથે જોડાયેલા છે પરંતુ હવે તેઓ નવી ટીમ સાથે જોડાવા માંગે છે. આ લિસ્ટમાં રિષભ પંતનું નામ ટોપ પર આવી રહ્યું છે અને મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ પણ પોતાની ટીમ છોડી શકે છે.

કેએલ રાહુલ

લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ આવતા વર્ષે અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી માટે રમી શકે છે. ટીમે છેલ્લી 3 સિઝનમાં તેની કેપ્ટનશીપ હેઠળ સારું પ્રદર્શન કર્યું નથી, જેની ઝલક અમને છેલ્લી IPL દરમિયાન જોવા મળી હતી. જ્યારે LSGના માલિક સંજીવ ગોયન્કા અને રાહુલ વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. હાલમાં જ લખનૌ ટીમના સ્પિનર અમિત મિશ્રાએ પણ ખુલાસો કર્યો હતો કે લખનૌ આવતા વર્ષે નવા કેપ્ટનની શોધ કરશે.

શિખર ધવન

ભારતીય ટીમમાંથી બહાર રહેલો આ અનુભવી ઓપનર છેલ્લી 3 સિઝનથી પંજાબ કિંગ્સ સાથે જોડાયેલો છે. તેમની કેપ્ટનશીપમાં ટીમે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જોકે ઈજાના કારણે તે IPL 2024માં મોટાભાગની મેચો રમી શક્યો ન હતો, પરંતુ વધતી ઉંમર અને ઘટતા ફોર્મને કારણે પંજાબ નવા અને યુવા કેપ્ટનની શોધમાં હશે. આવી સ્થિતિમાં શિખર ધવન અને પંજાબ વચ્ચેનું જોડાણ આગામી હરાજીમાં તૂટી શકે છે.

સૂર્યકુમાર યાદવ

ભારતની T20 ટીમના કેપ્ટન બનેલા સૂર્યકુમાર યાદવ આગામી IPLમાં કોઈ અન્ય ટીમ સાથે રમતા જોવા મળી શકે છે. જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે ત્યારથી ટીમના ઘણા ખેલાડીઓ અને હાર્દિક વચ્ચે અંતર જોવા મળી રહ્યું છે. આમાંથી એક નામ સૂર્યકુમાર યાદવનું હોવાનું કહેવાય છે. હાર્દિકની કપ્તાનીમાં રમવાને બદલે સૂર્યકુમાર યાદવ કોઈ અન્ય ટીમમાં સામેલ થઈ શકે છે.

રોહિત શર્મા

મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્મા વચ્ચેનું અંતર હવે દરેકને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા બાદ મુંબઈનો અનુભવી કેપ્ટન રોહિત શર્મા હવે નવી ટીમની શોધમાં રહેશે. અહેવાલો અનુસાર, દિલ્હી કેપિટલ્સ દ્વારા હિટમેનનો સંપર્ક કરવામાં આવ્યો છે અને એવી અપેક્ષા છે કે રોહિત શર્મા IPL 2025માં દિલ્હીની ટીમ માટે રમતા જોવા મળી શકે છે.

રિષભ પંત

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રિષભ પંત ટૂંક સમયમાં દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. દિલ્હી ફ્રેન્ચાઇઝી પણ રિષભ પંતને રીલીઝ કરવા અથવા જાળવી રાખવા પર વિચાર કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સ એમએસ ધોની બાદ પોતાની ટીમમાં રિષભ પંતને કેપ્ટનશિપ આપી શકે છે.

  • Follow us on: