- મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર સામે આવ્યા
- NCAમાં સૂર્યકુમાર યાદવને ફિટ જાહેર કરવામાં આવ્યો
- દિલ્હી કેપિટલ્સ સામેની મેચ રમશે તેવી શક્યતા
IPL 2024માં સતત ત્રણ મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, સૂર્યકુમાર યાદવને ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની સામેની મેચ રમશે તેવી શક્યતા છે. સૂર્યાને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જે ત્રણ મહિનાથી વધુ સમયથી મેદાનની બહાર હતો. BCCI અને NCAના ફિઝિયો કોઈ જોખમ લેવા માંગતા ન હતા અને યાદવને તક આપતા પહેલા તે સંપૂર્ણપણે ફિટ છે તેની ખાતરી કરી હતી.
IPL 2024માં હજુ સુધી કોઈ મેચ રમાઈ નથી
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અને ફેન્સ સૂર્યકુમાર યાદવને ખૂબ મિસ કરી રહ્યા છે. ઈજા બાદ અનફિટ હોવાને કારણે સૂર્યકુમારે આ ટુર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મેચ રમી નથી. મુંબઈ ઈન્ડિયન્સ પણ ટૂર્નામેન્ટમાં સતત ત્રણ મેચ હારી છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવનું સંપૂર્ણ ફિટ હોવું ટીમ માટે એક સારા સમાચાર છે.
ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે
BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું. સ્વાભાવિક છે કે તે MI માટે રમશે, પરંતુ સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી પછી તે દોડી શકતો નથી. સૂર્યા ખૂબ જ મહેનત રહ્યો છે અને ખૂબ જ ટૂંક સમયમાં તે MI માટે રમશે. જો કે, પ્રથમ બે મેચો ન રમવાના કારણે તેને થોડી વધુ મેચો માટે બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પ્રવાસમાં સૂર્યકુમાર ભારતીય T20 ટીમનો કેપ્ટન પણ હતો. આ પછી સૂર્યકુમાર પણ ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો. જે બાદ સૂર્યકુમાર યાદવે સર્જરી કરાવી હતી અને NCAમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો.