• T20 વર્લ્ડકપ 2024માં ભારત સુપર-8 માટે ક્વોલિફાય
  • ઓપનિંગ જોડી ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય
  • અત્યાર સુધી કોહલી ઓપનિંગમાં ફ્લોપ સાબિત થયો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024માં સતત ત્રણ મેચ જીતીને સુપર-8 માટે ક્વોલિફાય કરી લીધું છે. હવે તેની ઓપનિંગ જોડી ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. આ વર્લ્ડકપમાં વિરાટ કોહલી કેપ્ટન રોહિત શર્મા સાથે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી કોહલી ઓપનિંગમાં ફ્લોપ સાબિત થયો છે. કોહલીએ ત્રણ મેચમાં માત્ર 8 રન બનાવ્યા છે. જે બાદ હવે ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી બદલવાની માંગ ઉઠવા લાગી છે.

ઓપનિંગને કારણે કોહલીનું પત્તુ કપાઈ શકે

વિરાટ કોહલીના ખરાબ ફોર્મને કારણે સુપર-8 પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. IPL 2024માં વિરાટ કોહલીનું ફોર્મ શાનદાર હતું અને RCB માટે ઓપનિંગ કરતી વખતે કોહલીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન પણ બનાવ્યા હતા. પરંતુ કોહલી વર્લ્ડકપમાં પ્રવેશતાની સાથે જ ફ્લોપ થઈ ગયો છે. હવે શક્ય છે કે કોહલી કેનેડા સામેની આગામી મેચમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરતા જોવા ન મળે.

આ ખેલાડીને મળશે તક

યુવા ડાબોડી ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલનો પણ વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જયસ્વાલને એક પણ મેચમાં રમવાની તક મળી નથી પરંતુ હવે આશા છે કે કેનેડા સાથેની મેચમાં યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે. જો યશસ્વીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે તો તે ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. જે બાદ વિરાટ કોહલી ફરી એકવાર ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે.

  • Follow us on: