- T20 વર્લ્ડકપ 2024માં શ્રીલંકન ક્રિકેટ ટીમનું ખરાબ પ્રદર્શને
- હવે શ્રીલંકાને ભારત સામે ટી-20 સિરીઝ રમવાની છે
- વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો
T20 વર્લ્ડકપ 2024માં શ્રીલંકન ક્રિકેટ ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. ટીમને બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટુર્નામેન્ટમાં તેના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમની ઘણી ટીકા થઈ હતી. હવે શ્રીલંકાને ભારત સામે ટી-20 સિરીઝ રમવાની છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 26 જુલાઈના રોજ રમાશે. આ સીરીઝ પહેલા જ શ્રીલંકન ક્રિકેટ ટીમના કેપ્ટન વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે.
વનિંદુ હસરાંગાએ કહી આ વાત













