- T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાને ખરાબ પ્રદર્શન કર્યું
- શાહીન આફ્રિદીને ફરીથી કેપ્ટન બનાવવાની ઉઠી માંગ
- વસીમ અકમરે બોર્ડના ચેરમેન પર ઉઠાવ્યા સવાલો
પાકિસ્તાન ICC ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન કરે છે અને પછી તેમની ટીમમાં ઉથલપાથલ શરૂ થાય છે. પાકિસ્તાને T20 વર્લ્ડકપ 2024માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, જેના પછી ટીમને ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવું પડ્યું હતું. ટીમ બાબર આઝમની કપ્તાની હેઠળ વર્લ્ડકપ રમવા આવી હતી, પરંતુ તે બેટ્સમેન અને કેપ્ટન બંને તરીકે નિષ્ફળ ગયો હતો. બાબર બેટથી પણ કંઈ કરી શક્યો ન હતો અને તેની કેપ્ટનશિપ ખૂબ જ ખરાબ હતી. હવે ટીમના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે શાહીન આફ્રિદીને ફરીથી કેપ્ટન બનાવવાની વાત કરી છે.
શાહીનને કેપ્ટન બનાવો: અકરમ
વસીમ અકરમે કહ્યું કે શાહીન આફ્રિદીને કેપ્ટનશિપ માટે ઓછામાં ઓછો એક વર્ષનો સમય આપવો જોઈએ. T20 વર્લ્ડકપ 2024 પહેલા બાબર આઝમને ફરી એકવાર શાહીન આફ્રિદીની જગ્યાએ સફેદ બોલ ક્રિકેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, શાહીનની કપ્તાનીમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે માત્ર એક જ પાંચ મેચની T20 સિરીઝ રમી હતી, જેમાં પાકિસ્તાની ટીમને 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે વસીમ અકમરે કેપ્ટનશિપ માટે શાહીનને ટેકો આપતા કહ્યું, "તે વિકેટ લેનાર બોલર છે. તે વિકેટ માટે જાય છે. તે T20 ફોર્મેટમાં નવા બોલથી સ્વિંગ કરે છે. બધા જાણે છે કે તે બોલ આગળ નાખશે પરંતુ તેમ છતાં બેટ્સમેનને આઉટ કરે છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલરે વધુમાં કહ્યું, "શાહીનને કેપ્ટનશિપ માટે ઓછામાં ઓછું એક વર્ષ આપો અને પછી તેને બદલી શકાય. તે તેજસ્વી છે. પરંતુ જ્યાં સુધી તેને કેપ્ટન્સી ન મળે ત્યાં સુધી તેણે પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
વસીમ અકમરે બોર્ડના ચેરમેન પર ઉઠાવ્યા સવાલો
વસીમ અકમરે બોર્ડના સતત બદલાતા ચેરમેન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, "એક વર્ષમાં ત્રણ અધ્યક્ષ બદલાયા. રમીઝ રાજાને હટાવવામાં આવ્યા અને ત્રણ મહિના માટે નજમ સેઠી આવ્યા. સેઠી ગયા અને પછી ઝકા અશરફ આવ્યા. પછી ચાર-પાંચ મહિના પછી મોહસિન નકવી આવ્યા. પછી ટીમ કેવી રીતે સારુ પ્રદર્શન કર્યું છે.