• 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
  • વર્લ્ડકપને લઈ આકાશ ચોપડાએ કર્યો દાવો
  • આ 3 ખેલાડી સાથે નહીં રમે

ભારતીય ક્રિકેટ ટીમે મોહાલીમાં શુક્રવારે રમવામાં આવેલી સીરિઝની પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 વિકેટે જીત મેળવી છે. સીરિઝની શરૂઆતી મેચમાં ટીમ ઈન્ડિયાના અમુક ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. સાથે કેએલ રાહુલ ટીમનું નૈતૃત્વ કરી રહ્યો છે. સીરિઝની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ફુલ સ્ટ્રેંથ સાથે મેદાનમાં ઉતરશે. સીરિઝની પ્રથમ મેચમાં મોહમ્મદ શમી ટીમની જીતના હીરો રહ્યા છે, પરંતુ આકાશ ચોપડાનું માનવું છે કે, ભારત વર્લ્ડકપમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ અને જસપ્રીત બુમરાહને એક સાથે મેદાનમાં ઉતારશે નહીં.

આકાશ ચોપડાએ આપ્યું મોટું નિવેદન

ભારતીય ટીમની કમિટિએ સંકેત આપ્યા કે, આગામી વર્લ્ડકપ દરમિયાન તે પોતાની સૌથી મજબૂત ટીમ સાથે રમશે, તો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝ તેના 2 મુખ્ય ફાસ્ટ બોલર હશે, પરંતુ શમી સાથે રમશે નહીં.

મોહમ્મદ શમીની કરી પ્રશંસા

આકાશ ચોપડાએ યૂટ્યુબ ચેનલ પર કહ્યું કે, મોહમ્મદ શમીએ રોડ જેવ ફ્લેટ પિચ પર સારૂં પ્રદર્શન કર્યું છે. જે બોલ પર સ્ટિવ સ્મિથ આઉટ થયો, તે બોલ ઓફ ધ મેચ હતી. તે બોલ સારી હતી. આ સાથે એ ચર્ચા પૂર્ણ થઈ કે, ભારતને હવે શું જરૂર છે. 8માં નંબરના બેટ્સમેનથી રન કે શમીની વિકેટ.. પરંતુ મને લાગે છે કે, તે હજુ પબણ 8માં નંબર માટે શોધ કરી રહ્યા છે અને આ કારણેલ તે આ ત્રણ બોલર સાથે રમશે નહીં. ત્રીજા બોલર શાર્દુલ ઠાકુર હશે અને ત્રીજા સ્પિનર અક્ષર અથવા અશ્વિન હોઈ શકે છે.

  • Follow us on: