કુબેર ભંડારી મંદિર, ભોલેનાથ અને માતા મહાકાળીના દર્શનનો ભક્તોએ લાભ લીધો
સોમવાર એ ભગવાન શિવનો પ્રિય દિવસ છે, પરંતુ જો સોમવારે અમાસ (સોમવતી અમાસ) હોય, તો કુબેર ભંડારી મંદિરમાં દર્શનનું મહત્વ વધે છે
સોમવારે અહીં દર્શન કરવાથી કુબેર દેવ અને મહાદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી ભક્તોના જીવનમાંથી આર્થિક તંગી અને દરિદ્રતા દૂર થાય છે.
કુબેર ભંડારી મંદિરમાં સોમવારના દિવસે શિવલિંગને મોગરા અને હજારી ગલના ફૂલોથી શણગાર કરાયો, બિલીપત્ર અર્પણ કરાયો
સોમવારે અથવા સોમવતી અમાસના દિવસે, ગુજરાત અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે.
વિશેષ પૂજા-અર્ચના, આરતી અને મંત્રોચ્ચારથી ભક્તોને માનસિક શાંતિ મળે છે, મંદિરમાં થતી શ્રૃંગાર આરતી અદ્ભૂત છે
કુબેર ભંડારી મંદીરમાં માતા મહાકાળી અને્ ભોલેનાથના દર્શન માત્રથી જ ભક્તો નવી સકારાત્મક ઊર્જાનો અનુભવ કરે છે.