કુબેર ભંડારી મંદિરમાં ભોલેનાથની પૂજાનું માહાત્મ્ય, કરો શ્રૃંગાર આરતીના દર્શન

ગુજરાતમાં કરનાળીના પ્રખ્યાત તીર્થધામ કુબેર ભંડારી મંદિરમાં સોમવારના દિવસે ભોલેનાથના દર્શનનો છે મહિમા

ભગવાન શિવને સોમવાર અત્યંત પ્રિય હોવાથી કુબેર ભંડારી મંદિરે આ દિવસે દર્શન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે.

અમાસના દિવસે અથવા પવિત્ર શ્રાવણ માસમાં માતા મહાકાળીનું દર્શન કરવા શ્રધ્ધાળુઓનો ભારે ઘોડાપૂર ઉમટે છે.

મંદિરે દર્શન કરતા પહેલાં ભક્તો પવિત્ર નર્મદા નદીના ઘાટ પર સ્નાન કરીને ધન્યતા અનુભવે છે.

એવી માન્યતા છે કે સોમવારે કુબેર દાદાના દર્શન અને પૂજા કરવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી રહેતી નથી.

નર્મદા કિનારે આવેલું આ મંદિર સોમવારની સવારની આરતી વખતે ભક્તિમય અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે.

દર્શન કર્યા પછી ભક્તો કુબેર ભંડારીની વિશેષ ભસ્મ અને પ્રસાદ લઈને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે.

More Web Stories

વરસાદનું આગમન, ડાંગના સાપુતારામાં સર્જાયા મનમોહક દ્રશ્યોકુબેર ભંડારી મંદિર, ધન અને સમૃદ્ધિના દેવ, ભોલેનાથના દર્શનનો ભક્તોએ લાભ લીધોગાંધીનગરના માણસામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીસોમવતી અમાસ, કુબેર ભંડારી અને મહાકાળી માતાજીના દર્શનનો મહિમાView All