કોના માટે હાનિકારક ઘીનું વધુ પડતું સેવન
ઘીનું મર્યાદિત પ્રમાણમાં સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કેટલાક લોકોનું સ્વાસ્થ્ય બગાડી શકે છે
ઘી ગ્લાયસેમિક ઇન્ડેક્સને ઓછો કરે છે, પરંતુ તેનું વધુ સેવન ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારતા બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મુશ્કેલી ઊભી કરે છે તેથી ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરો
ફેટી લીવર અથવા લીવરની સમસ્યાવાળા લોકો ઘીનું વધુ સેવન કરે તો ભારે ચરબીને પચાવવામાં લીવર પર વધુ દબાણ આવતા તકલીફ વધી શકે છે.
ઘી કેલરીથી ભરપૂર હોવાથી વધુ વજન અથવા મેદસ્વીતાથી પીડાતા લોકો માટે તેનું વધુ સેવન ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા સર્જે છે
હૃદયના દર્દીઓ અને હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો માટે ઘીનું વધુ સેવન લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે
ઘી પચવામાં ભારે હોવાથી ગેસ, એસિડિટી, પેટનું ફૂલવું કે ડાયેરિયા જેવી પાચનની સમસ્યાઓ થાય, તેમણે ઘીનું સેવન ખૂબ જ મર્યાદિત કરવું જોઈએ