જમ્યા પછી તરત જ ચા પીવાની આદત સારી કે ખરાબ, શું કહે છે નિષ્ણાત
મોટાભાગના ભારતીયોના દિવસની શરૂઆત સવારની ચા થી જ થા છે
જો કે કેટલાક લોકોને ચાની એટલી બધી લત હોય છે કે તેઓ જમ્યા પછી પણ ચા પીવે છે
શું ભોજન બાદ ચા પીવાની આદત આપણા શરીર માટે સારી છે કે ખરાબ, તેની કોઈ આડઅસર થાય છે
નિષ્ણાત કહે છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં વિટામિન અને ખનિજો હોય છે
જયારે ચામાં ટેનીન અને પોલીફેનોલ જેવા કુદરતી સંયોજનો પણ હોય છે.
જો આપણે જમ્યા પછી તરત જ ચા પીએ તો ચામાં રહેલા ટેનીન ખોરાકમાં રહેલા આયર્ન સાથે જોડાતા તેનું શોષણ ઘટાડે છે
એટલે જો જમ્યા પછી ચા પીવામાં આવે તો પેટનું ફૂલવું, ઊંઘમાં ખલેલ જેવી સમસ્યાઓ થાય છે