2011માં દક્ષિણ ગોવામાં રમખાણોમાં બે લોકો માર્યા ગયા હતા. રમખાણોનો આરોપી બરકત અલી ભારતની બહાર સાઉદી અરેબિયામાં સ્થાયી થયો હતો. આ પછી સાઉદી અરેબિયાએ હાલમાં જ આરોપી બરકત અલીને ભારતને હવાલે કરીને CBIને સોંપી દીધો છે. હાલ આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે.
સાઉદી અરેબિયા અને ભારત વચ્ચેના સંબંધો ઘણા સારા છે. જેના કારણે સાઉદીએ ફરી એકવાર ભારત સાથેની મિત્રતા દર્શાવી અને દક્ષિણ ગોવામાં 2011ના રમખાણોના આરોપીઓને ભારતને સોંપી દીધા. આ રમખાણોમાં બે લોકોના મોત થયા હતા. આરોપી બરકત અલી સાઉદી અરેબિયામાં રહેવા લાગ્યો હતો. આરોપી બરકત અલીને રિયાધ પોલીસે પકડી લીધો હતો અને પછી ભારતને સોંપી દીધો હતો. આરોપી બરકત અલી સાઉદીથી દિલ્હી પહોંચ્યો હતો. સાઉદીએ આરોપીને એરપોર્ટ પર સીબીઆઈને સોંપ્યો હતો. બરકત અલીને દક્ષિણ ગોવાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે.
શું હતી સમગ્ર ઘટના?
2011માં દક્ષિણ ગોવામાં રમખાણો સંબંધિત 9 અલગ-અલગ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યા હતા. આરોપી અલી અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટમાં રાયોટિંગ, અપરાધપૂર્ણ હત્યા, હત્યા અને અન્ય ઘણા ગુના નોંધવામાં આવ્યા છે. વર્ષ 2022માં દક્ષિણ ગોવાના સેશન્સ જજ ઈર્શાદ આગાએ આ કેસમાં 13 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. વર્ષ 2011માં દક્ષિણ ગોવાના બાલીમાં યુનાઇટેડ ટ્રાઇબલ એસોસિએશન એલાયન્સનું આંદોલન ચાલી રહ્યું હતું, આ આંદોલન પછી હિંસા અને રમખાણો થયા હતા. આ રમખાણોમાં બે લોકોના મોત થયા હતા.
આંદોલન હિંસક બની ગયું, બે લોકો મૃત્યુ પામ્યા
વર્ષ 2011માં ગોવાના બાલીમાં આદિવાસીઓએ અનેક માંગણીઓને લઈને આંદોલન કર્યું હતું. આ આંદોલનમાં આદિવાસીઓની સૌથી મોટી માંગ સરકારી નોકરીઓમાં અનામત લાગુ કરવાની હતી. આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, પરંતુ સમય જતાં આ આંદોલન હિંસક બની ગયું હતું. રોષે ભરાયેલા ટોળાએ પોલીસના વાહનો, રેલવે સિગ્નલ અને રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડ્યું હતું. દક્ષિણ ગોવાના બાલીમાં થયેલા રમખાણોમાં ગાંવડોંગરીમના મંગેશ ગાંવકર અને મોરપિરલાના દિલીપ વેલિપ માર્યા ગયા હતા.