અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમય સુધી ચાલેલી ચર્ચાઓ બાદ યુદ્ધ સમાપ્ત કરવા માટે એક ફ્રેમવર્ક સમજૂતી પર સહમતિ બની હોવાનું જણાવાયું છે. આ સમજૂતી પર 19 જૂનના રોજ જનેવા ખાતે પાકિસ્તાનની મધ્યસ્થતામાં હસ્તાક્ષર થવાના છે. આ જાહેરાત બાદ ખાડી દેશો સહિત સમગ્ર વિશ્વના નેતાઓ બંને દેશોને શાંતિ માટે અભિનંદન આપી રહ્યા છે અને ભવિષ્યમાં સ્થિરતા આવવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.


ડીલને લઈને કોઈ ટિપ્પણી નહીં 

પરંતુ આ સમજૂતીના મુખ્ય પ્રભાવિત દેશ ઇઝરાયેલ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના 80મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે ઈરાન સાથેની સીઝફાયર ડીલ અંગે તેમણે કોઈ ટિપ્પણી કરી નથી.

બીજી તરફ ઈઝરાયેલ સરકારના કેટલાક મંત્રીઓએ આ સમજૂતીની ખુલ્લેઆમ ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આ કરાર ઈઝરાયેલ અને સમગ્ર મુક્ત વિશ્વ માટે જોખમી સાબિત થઈ શકે છે અને તે દેશની સુરક્ષા માટે પૂરતો નથી. ઈઝરાયેલના નેશનલ સિક્યુરિટી મંત્રી ઈતામાર બેન ગ્વિરએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલ આ ફ્રેમવર્ક સમજૂતી ઈઝરાયેલને બંધનકારક નથી અને દેશ તેની સુરક્ષા અંગે કોઈ સમજૂતીનો ભાગ નથી. 

ઈઝરાયેલ પોતાની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની પીછેહઠ નહીં કરે

તેમણે કહ્યું કે હિઝબુલ્લાહના સંપૂર્ણ અંત સુધી લડત ચાલુ રહેવી જોઈએ અને ઈઝરાયેલ પોતાની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની પીછેહઠ નહીં કરે. આ સ્થિતિને જોતા ઈઝરાયેલ અને અમેરિકાની નીતિઓ વચ્ચે તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો ઈઝરાયેલ લેબનાનમાં સૈનિક કાર્યવાહી ચાલુ રાખે છે તો આ શાંતિ સમજૂતીની અસર પર પ્રશ્નચિહ્ન લાગી શકે છે.

આ પણ વાંચો : Iran Deal Protest: અમેરિકા સાથેના કરાર મામલે ઈરાનમાં હોબાળો, જનતાએ રસ્તા પર કર્યા વિરોધ પ્રદર્શન






  • Follow us on: