નોબલ શાંતિ પુરસ્કારને દુનિયાભરમાં માનવતાની સર્વોચ્ચ ઓળખ માનવામાં આવે છે. આ પુરસ્કારનો ઉદ્દેશ્ય તેવા લોકોને સન્માનિત કરવાનો હોય છે જેઓ દુનિયાને શ્રેષ્ઠ અને શાંતિપૂર્ણ બનાવવામાં યોગદાન આપ્યું હોય. ત્યારે આ વખતે નોબલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષની નેતા મારિયા કોરિના મચાડોને આપવામાં આવી છે.ત્યારે આવો જાણીએ કોણ છે મારિયાકોરિના મચાડો ?


મારિયા કોરિના મચાડો કોણ છે?

  • મારિયા કોરિના મચાડો 2011 થી 2014 સુધી વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના ચૂંટાયેલા સભ્ય તરીકે સેવા આપી હતી.
  •  તે વેનેઝુએલાની વર્તમાન સરકાર સામે લોકશાહી ચળવળનું નેતૃત્વ કરી રહી છે.
  • મારિયાનો જન્મ 7 ઓક્ટોબર, 1967 ના રોજ થયો હતો અને તે એક ઔદ્યોગિક ઇજનેર છે. તે હાલમાં વિપક્ષના નેતા છે.


નોબેલ શાંતિ પુરસ્કાર 2025માં કેટલી હોય છે ઇનામની રકમ ? 

નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેની રાજધાની ઓસ્લોમાં જાહેર કરવામાં આવ્યો હતો. મારિયાને ત્યાં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને આશરે ₹7 કરોડ (આશરે $1.7 મિલિયન) ની રકમ અને એક મેડલ મળશે. આ વર્ષે 338 વ્યક્તિઓ અને સંગઠનોને શાંતિ પુરસ્કાર માટે નામાંકન મળ્યા હતા, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પણ સમાવેશ થાય છે. જોકે, મારિયાએ ટ્રમ્પને હરાવીને આ પુરસ્કાર જીત્યો.

અગાઉ પણ થઇ ચૂક્યા છે સન્માનિત

મારિયા કોરિના મચાડોને નોબલ શાંતિ પુરસ્કાર પહેલા પણ ઘણા ઇન્ટરનેશનલ પુરસ્કાર મળી ચૂક્યા છે. તેમણે 2024માં યુરોપીય સંઘના સખારોવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. જે યુરોપિયન સંઘનું સર્વોચ્ચ માનવાધિકાર પુરસ્કાર છે. 

  • Follow us on: