Pakistan Flood: પાકિસ્તાનમાં દર વર્ષે પૂરમાં સેંકડો લોકો મૃત્યુ પામે છે.આ વર્ષે પણ પડોશી દેશમાં પૂરનો કહેર જોવા મળ્યો છે. રિપોર્ટસ પ્રમાણે, આ વર્ષે પૂરમાં આશરે 1000 લોકોના મોતની આશંકા છે. એવું કહેવાય છે કે જ્યાં પૂરનું પાણી આવ્યુ છે, ત્યાં આખાને આખા ગામ તણાઇ ગયા છે.


ભયાનક પૂરે વિનાશ વેર્યો

આ દિવસોમાં પાકિસ્તાનમાં ભયાનક પૂરથી વિનાશ જોવા મળ્યો છે. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહેવાલો અનુસાર, ખૈબર પખ્તૂનખ્વામાં પૂરના કારણે અત્યાર સુધીમાં આશરે 1,000 લોકોનાં મોત થયાની માહિતી મળી છે, જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયાં છે. પૂરના કારણે આખાને આખા ગામો નષ્ટ થઇ ગયા છે. ANIના અનુસાર કેટલાક વિસ્તાર તો એવા છે કે જે નકશા પરથી ગુમ થઇ ગયા છે. પૂરના પાણી સાથે આવેલા પથ્થરો ટ્રકથી પણ મોટા હોવાનું કહેવાય છે. નદી કાંઠે આવેલાં ગામો તો સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે.

નદી કિનારે વસેલું ગામડું ગાયબ

પાકિસ્તાનના વડાપ્રધાનના કોઓર્ડિનેટર ઇખ્તિયાર વલી ખાને પૂરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે ખૈબર પખ્તૂનખ્વામાં આખાં ગામો પૂરના કારણે ધરાશાયી થઇ ગયા છે. ખાસ કરીને ચગરજી અને બશોની ગામો તો નકશા પરથી જ ગાયબ થઇ ગયા છે. તેઓએ જણાવ્યું કે આખાં પરિવારના પરિવાર એક ઝટકામાં ખતમ થઇ ગયા છે અને હજારો લોકો હજુ પણ કાટમાળમાં ગુમ છે. વલી ખાને દાવો કર્યો કે માત્ર દીર વિસ્તારમાં જ 1000થી વધુ લોકોનાં મોત થયા હોય તેવી શક્યતા છે. ઉપરાંત 1000થી વધુ લોકો લાપતા અને 900થી વધુ ઘાયલ છે.

  • Follow us on: