સુશીલા કાર્કીએ મંત્રીમંડળ વિસ્તરણ દરમિયાન ચાર મંત્રીઓના નામ રજૂ કર્યા હતા અને હવે વધુ 5 મંત્રીઓ ઉમેરાયા છે. આ સાથે તેમના મંત્રીમંડળમાં કુલ મંત્રીઓની સંખ્યા નવ થઈ છે.

વિભાગોની કરાઇ ફાળવણી

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે શિતલ નિવાસ ખાતે વચગાળાના પીએમ સુશીલા કાર્કીની સરકારમાં ચાર નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ મંત્રીઓમાં અનિલ કુમાર સિંહા, મહાવીર પુન, જગદીશ ખારેલ અને મદન પરિયારનો સમાવેશ થાય છે. તેમના વિભાગો પણ ફાળવવામાં આવ્યા છે.

કયા મંત્રીને કયુ ખાતું?

અનિલ કુમાર સિંહાને ભૂતપૂર્વ ન્યાયાધીશ સિંહાને એકસાથે ત્રણ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી છે. ઉદ્યોગ, વાણિજ્ય અને પુરવઠા મંત્રાલય, કાયદો અને ન્યાય મંત્રાલય અને જમીન સુધારણા, સહકારીતા અને ગરીબી નિવારણ મંત્રાલય. મહાબીર પુન - મેગ્સેસે પુરસ્કાર વિજેતા મહાબીર પુનને શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સોંપવામાં આવ્યું છે. મદન પ્રસાદ પરિયારને વરિષ્ઠ આબોહવા અને કૃષિ નિષ્ણાત પરિયાર સામાજિક ન્યાય અને સમાવેશ માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થા, સમતા ફાઉન્ડેશનના પ્રમુખ છે. તેમને કૃષિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જગદીશ ખારેલને મીડિયા વ્યાવસાયિક અને ઇમેજ ચેનલ્સના સંપાદક, ખારેલને માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે.

સરકારી મિલકતોને મોટું નુકસાન

સુશીલા કાર્કીએ પદ સંભાળ્યા પછી કહ્યું હતું કે જે પરિસ્થિતિઓમાં તેમણે સત્તા સંભાળી હતી તે ખૂબ જ મુશ્કેલ હતી. તાજેતરના હિંસક વિરોધ પ્રદર્શનોથી નાશ પામેલા માળખાને સુધારવા માટે તેમને સમયની જરૂર પડશે. વધુમાં, તેમણે એ વ્યક્તિની અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે જેના બળવાએ તેમને સત્તા પર લાવ્યા હતા. નેપાળમાં પરિસ્થિતિ એવી છે કે સંસદ અને સુપ્રીમ કોર્ટની ઇમારતો નાશ થઇ છે. જેના કારણે કામકાજ પર અસર પડી છે.  

  • Follow us on: