અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે આયર્લેન્ડના પ્રવાસે છે. ખેલાડીઓ આયર્લેન્ડ પહોંચી ગયા છે, અને સિરીઝની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પહેલી T20 મેચ 26 જૂને બેલફાસ્ટમાં રમાશે.


આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. ટીમમાં તેનો સમાવેશ બીજા ઓપનિંગ બેટ્સમેનના સ્થાન પર જોખમ ઊભું કરે છે. જો મેનેજમેન્ટ વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં સમાવે છે, તો અભિષેક શર્મા અને સંજુ સેમસનમાંથી કોઈ પણ એકને બહાર બેસવું પડશે.

પ્લેઈંગ ઈલેવનમાં વૈભવ સૂર્યવંશી કોનું સ્થાન લેશે?

જો વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ટીમમાં જોડાય છે, તો અભિષેક શર્માને બહાર કરી શકાય છે. ટીમ ઈન્ડિયા માટે તેનું ફોર્મ તાજેતરના મેચોમાં ખરાબ રહ્યું છે. 2026ના T20 વર્લ્ડકપમાં તેને ફક્ત 2 અડધી સદી ફટકારી હતી અને ત્રણ વખત ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો. 

આ દરમિયાન સંજુ સેમસન અને ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી હતી. સંજુના શાનદાર પ્રદર્શને ટીમને સતત બીજી વખત વર્લ્ડકપ જીતવામાં મદદ કરી હતી. 

બધાની નજર વૈભવના ફોર્મ પર રહેશે

વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ તેમજ ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો તે આયર્લેન્ડ સામેની બે T20 મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી શકે છે, તો તેને ઈંગ્લેન્ડમાં તક મળવાની શક્યતા વધી જશે. 

તાજેતરની ટ્રાય સિરીઝમાં તેનું બેટ શાંત હતું, પરંતુ અંતિમ મેચમાં તેને 29 બોલમાં 94 રનની ઈનિંગ રમીને મેચને એકતરફી બનાવી દીધી. આ સાથે તે ટીમ ઈન્ડિયા માટે રમનાર સૌથી યુવા ખેલાડી પણ બનશે. 

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા 

  • Follow us on: