ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી ચલાવી લૂંટ અને વૃદ્ધા ઘરમાં એકલા રહેતા હોવાથી લૂંટારૂઓએ હત્યા કરી હતી અને એક કલાકમાં વૃદ્ધાની હત્યા કરી આરોપીઓ ફરાર થયા છે, સમગ્ર મામલે સરદારનગર પોલીસે તપાસ શરૂ કરી અને ત્રણ ઈસમોએ મહિલાના હાથ પગ બાંધી લૂંટ ચલાવી હોવાની વાત સામે આવી છે.


સરદારનગરમાં મહિલાની કરાઈ હત્યા

અમદાવાદના સરદારનગરમાં વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે અને લૂંટ કરવામાં આવી છે, તો વૃદ્ધા ઘરે એકલા હતા તે સમયે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, તો આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોએ પોલીસને અને પરિજનોને જાણ કરી હતી, સરદારનગર પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જાણભેદુ લોકોએ હત્યા કરી હોવાની આશંકા પોલીસને સેવાઈ રહી છે, તો બીજી તરફ આરોપીઓને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

તો આ સમગ્ર ઘટના મોડી રાત્રે બની છે અને એક પાડોશી જયારે બહાર નીકળ્યા હતા તે સમયે મહિલા પડેલી હાલતમાં હતા અને શંકા જતા અંદર જઈને ચેક કર્યુ તો લોહીલુહાણ હાલતમાં મહિલા મૃત મળી આવ્યા હતા, તો મહિલાએ પહેરેલા દાગીના પણ ગાયબ થઈ ગયા હતા, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ઘરમાં રહેલી તિજોરીમાં પણ શખ્સો લૂંટ કરીને ગયા હોવાની વાત સામે આવી છે.


આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા સમાચાર, રાજકોટથી મુંબઇની વધુ 2 નવી ફ્લાઇટ થશે શરૂ


  • Follow us on: