ભરૂચ પોલીસ હેડકવાર્ટમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોતાના રુમમાં પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યુ છે, લીસકર્મી પ્રીતિ ઉદેસિંહ પરમારે કર્યો આપઘાત અને મહિલા પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ છે, હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત

ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર મચી છે, મૂળ ભાવનગરના પોલીસકર્મી 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારે કર્યો આપઘાત અનેપોતાના રૂમમાં પંખા સાથે લટકી જીવનને અલવિદા કર્યુ છે, આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે અને પોલીસને હાલમાં કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, પરંતુ પોલીસે અન્ય પોલીસની પૂછપરછ કરી છે, પ્રેમમાં અંતિમ પગલુ ભર્યુ કે કોઈ અન્ય કારણ છે આપઘાતનું તેને લઈ તપાસ ચાલી રહી છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો

આપઘાતનું સાચું કારણ જાણવા પરિવારજનો અને સહકર્મીઓની બી ડિવિઝન પોલીસે પૂછપરછ કરવા સાથે વધુ તપાસ શરૂ કરી છે, તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે મોબાઈલ ફોન મૃતકનો લીધો છે અને તેના આધારે તપાસનો ધમધમાટ કરવામાં આવશે.


આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે દોડાવશે 03 જોડી સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો, જાણો શું રહેશે શેડ્યૂલ


  • Follow us on: