કચ્છના પાટનગર ભુજમાં ગત વર્ષે બનેલી ચકચારી સાક્ષી ખાનીયા હત્યા કેસમાં ભુજ કોર્ટે આજે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય આરોપી મોહિત સિદ્ધપુરા અને તેના સાગરીત જયેશ ઠાકોરને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે. માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં જ સાક્ષીને ન્યાય મળતા ન્યાયતંત્રની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.


શું હતી સમગ્ર ઘટના?

વર્ષ 2025માં ભુજની જાણીતી સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી સાક્ષી ખાનીયાની કોલેજની બહાર જ ધોળે દિવસે છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હતી. મુખ્ય આરોપી મોહિત સિદ્ધપુરાએ સાક્ષીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું, અને સાક્ષીએ ના પાડતા ઉશ્કેરાયેલા મોહિતે જયેશ ઠાકોરની મદદથી આ કરપીણ હત્યાને અંજામ આપ્યો હતો.

8 મહિનામાં મળ્યો ન્યાય

કોલેજ કન્યાની જાહેરમાં હત્યા થતા સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પોલીસે આ કેસમાં સચોટ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો એકત્ર કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ભુજ કોર્ટે આ કેસને ગંભીરતાથી લઈ બંને આરોપીઓને જામીન આપ્યા વગર જેલના સળિયા પાછળ રાખ્યા હતા અને આજે આજીવન કારાવાસની સજા ફટકારી સાક્ષીના પરિવારને ન્યાય અપાવ્યો છે.

આ ચુકાદાથી સમાજમાં એવો સંદેશ ગયો છે કે, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કાયદો કડક હાથે કામ કરશે.


આ પણ વાંચો - Bhuj : ગ્રીષ્મા હત્યા કેસ જેવી ચોંકાવનારી ઘટના, પ્રેમ કરવાની ના પાડતા યુવકે યુવતીનું ગળુ કાપી નાખી નાંખ્યું


  • Follow us on: