રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામેથી એક અત્યંત કરૂણ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ધોરણ 6 માં અભ્યાસ કરતી એક માસૂમ કિશોરીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉમરકોટ ગામમાં રહેતી 14 વર્ષીય સગીરાએ કોઈ અજાણ્યા કારણોસર પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સગીરા ધોરણ 6 માં અભ્યાસ કરતી હતી અને હજુ તો તેની ઉંમર માત્ર 14 વર્ષની જ હતી. નાની ઉંમરે સગીરાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી.













