મૂળ જમીન માલિક સાથેનો સોદો રદ થઈ ગયો હોવા છતાં પિતા-પુત્રને અંધારામાં રાખી સેઘાણી કાકા-ભત્રીજા સહિત ત્રણ જણાએ કરોડો રૂપિયાની રોકડ અને અનેક મિલકતો પોતાના નામે કરાવી લીધી હતી. મળતી વિગતો પ્રમાણે અડાજણમાં ગુજરાત ગેસ સર્કલ પાસે વાડીયાનગરમાં રહેતા હિમાલય જયંતકુમાર કળથીયા (૨૮) જમીન દલાલ છે. જીતેન્દ્ર કરસનભાઈ સેંઘાણી ઉધના મગદલ્લા રોડ ઓલિવ સર્કલ પાસે લીવીંગ સ્ટાઇલ ફર્નિચરના નામે શોરૂમ ધરાવે છે.
કોસાડ ગામની જમીન વેચાણ મામલે શોરૂમમાં મીટિંગ મળી હતી
આ શોરૂમમાં જમીન લે-વેચનો બિઝનેસ પણ કરે છે. વર્ષ ૨૦૨૪માં જીગ્નેશ, તેનો ભત્રીજો વિશાલ સેંઘાણી અને અશોકભાઈ લવજીભાઈ ગોયાણીએ કોસાડ ગામની જમીન વેચાણ મામલે શોરૂમમાં મીટિંગ મળી હતી. આ જમીન તેઓએ ખેડૂત જયંતિ આહિર પાસેથી ખરીદી હોવાનું જણાવી કળથીયાને ભરોસામાં લીધા હતા. જૂની શરતમાં જમીન ફેરવીને ટાઇટલ ક્લીયર કરાવી વેચાણ દસ્તાવેજ કરી આપવાની પણ તેઓએ જવાબદારી લીધી હતી.













