ઝડપાયેલા આરોપી મિલકત, શરીર સબંધી ગુનાઓમાં રીઢા ગુનેગાર છે અને 100થી વધુ ગુનાઓ આચર્યા હોવાની વિગતો આવી બહાર અને હિંમતનગર, ગોધરા, સાબરકાંઠામાં ગુનાઓને આપ્યો અંજામ, ગાંધીનગર, અમદાવાદમાં ગુનાખોરીને આપ્યો હતો અંજામ. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2026માં પહેલો ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે.


વડોદરામાં પ્રથમ ગુનો વર્ષ 2026માં ગુજસીટોકનો નોંધાયો

વડોદરા શહેર તથા જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરતી વધુ એક સિકલીગર ગેંગ સામે મકરપુરા પોલીસ મથકે ગુજસીટૉકના વિશેષ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદના ૮ આરોપીઓ પૈકીના ૫ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં પણ સિકલીગર ટોળકી સામે ગુજસીટૉકનો ગુનો નોંધાયો હતો. વર્ષ ૨૦૨૬ના પ્રારંભ સાથે આ પ્રથમ ગુજસીટૉકનો કેસ રજિસ્ટર થયો છે.

8 સાગરીતો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે

ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર.જી.જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત છે. ટોળકી સંગઠિત થઈને ઓર્ગેનાઈઝઝ્ડ ક્રાઈમ કરતી હતી. છેલ્લાં ૧૦ વર્ષમાં સાગરીતોએ ભેગા મળીને ૧૫૨ ગુનાઓને અંજામ આપ્યો છે. આરોપીઓ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયાં પછી પણ ક્રાઈમ કરતાં હતાં. હાલમાં 8 સાગરીતો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. જે પૈકીના ૫ આરોપીને ગિરફતાર કરવામાં આવ્યા છે. બીજા કેટલાક આરોપી રાજ્યની અન્ય જેલમાં છે. આરોપીઓની તલસ્પર્શી પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવાશે.


આ પણ વાંચો : Surat News : સુરતના રાંદેરના શાકભાજી માર્કેટમાંથી MD ડ્રગ્સ ઝડપાયું, પોલીસે આરોપી નઝીલ રશીદ સયૈદની ધરપકડ કરી



  • Follow us on: