કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટનું ટ્રેલર 15 એપ્રિલે કોઈ ખાસ ગાજવાજ વગર રિલીઝ થયું હતું, પરંતુ તેણે ટૂંક સમયમાં જ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મમાં મોટાભાગના કલાકારો નવા હોવા છતાં, તેની પૌરાણિક સ્ટોરી, ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી વિઝ્યુઅલ સુંદરતા અને ભવ્યતાને કારણે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ પ્રોજેક્ટમાં લોકોનો રસ એટલા માટે પણ વધ્યો છે કારણ કે તેની સાથે કેટલાક મોટા નામો જોડાયેલા છે. અનિલ થડાણી આ ફિલ્મના વર્લ્ડવાઇડ ડિસ્ટ્રિબ્યુશન સાથે જોડાયેલા છે, જ્યારે પ્રોડ્યુસર શોભા સંત અગાઉ ભણસાલી પ્રોડક્શન્સ અને Jio સ્ટુડિયો સાથે કામ કરી ચૂક્યા છે, જેનાથી આ પ્રોજેક્ટનું મહત્વ વધી ગયું છે.
પૌરાણિક ગાથા અને ભવ્ય નિર્માણ
સંસ્કૃતિ જયના, જે ફિલ્મમાં સત્યભામાનું પાત્ર ભજવી રહી છે, તે એક જાણીતા પરિવારમાંથી આવે છે. તે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની પૌત્રી છે. તેમની માતા અનાર પટેલ એક જાણીતા સોશિયલ એન્ટરપ્રેન્યોર છે, જે ક્રાફ્ટ રૂટ્સ અને ગ્રામશ્રી જેી પહેલો સાથે જોડાયેલા છે. આ બંને પહેલો મહિલાઓ અને કારીગરોને સશક્ત બનાવવા પર કેન્દ્રિત છે.
રાજકીય કનેક્શન અને સંસ્કૃતિ જયનાનું ડેબ્યુ
ટ્રેલર લોન્ચ થયાના થોડા કલાકો પછી, અનાર પટેલે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે પોતાની દીકરીની આ મોટી ક્ષણની ઉજવણી કરી હતી. તેમના હૃદયસ્પર્શી સંદેશમાં તેમણે કહ્યું કે તેમનું હૃદય અપાર કૃતજ્ઞતા અને ઊંડી લાગણીઓથી ભરેલું છે અને તેમણે તે સંઘર્ષો, સમર્પણ અને અટલ વિશ્વાસ વિશે વાત કરી જેણે આ સફરને આકાર આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું, આ ક્ષણ પાછળ અસંખ્ય સંઘર્ષો, અતૂટ સમર્પણ અને એક એવો વિશ્વાસ છુપાયેલો છે જે ક્યારેય ઓછો થયો નથી. એક માતા તરીકે, મેં તેના દરેક ઉતાર-ચઢાવ જોયા છે, દરેક પડકાર જોયો છે જેનો તેણે હિંમત અને ગરિમા સાથે સામનો કર્યો છે.
માતા અનાર પટેલની ભાવુક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
આ પહેલીવાર નથી જ્યારે સંસ્કૃતિ કેમેરા સામે આવી હોય. આ પહેલા તે આદિત્ય સીલ સાથે રૂપ રાધા કા નામના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટ સાથે સંસ્કૃતિનું જોડાણ માત્ર એક્ટિંગ પૂરતું સીમિત નથી. એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, આ ફિલ્મ સાથે જોડાયેલી પ્રોડક્શન કંપનીઓમાંની એક અથાશ્રીકથા મોશન પિક્ચર્સ LLP પણ છે.
અભિનયની સાથે પ્રોડક્શનમાં પણ રસ
ફિલ્મની ભવ્યતા અને મોટા પાયે નિર્માણની ચર્ચા ફિલ્મ જગતમાં જોરશોરથી ચાલી રહી છે. એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આવી મોટા પાયાની ફિલ્મો મુંબઈની ફિલ્મ સિટી અથવા હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીમાં બનાવવામાં આવે છે. કૃષ્ણાવતારમ એક અપવાદ છે, કારણ કે તેને ગુજરાતના વિસનગરની બહારના વિસ્તારમાં એક વિશાળ જમીન પર શૂટ કરવામાં આવી છે. સંસ્કૃતિ અને તેની માતાએ ગુજરાતના આ શહેરમાં શૂટિંગ કોઈપણ અડચણ વગર સરળતાથી પૂર્ણ કરવામાં મદદ કરવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, જે જગ્યાએ કૃષ્ણાવતારમનું શૂટિંગ થયું હતું, તે ગૂગલ મેપ્સ પર પહેલેથી જ અથાશ્રીકથા સ્ટુડિયો તરીકે અંકિત છે.
આ પણ વાંચો- Daisy Shah સાથે સાઉથ ફિલ્મમેકરે કર્યા હતા ખોટી રીતે અડપલાં, એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો!