આજે સમગ્ર દેશની નજર સંસદ ભવન પર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીરથી મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. જેમાં તેના ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડની ગ્રામ્ય કોર્ટમાં કાર્યવાહી પૂર્ણ થઈ છે. રાજકોટમાં GMSCLમાં કૌભાંડ સામે આવ્યું છે. જેમાં મફત સરકારી દવાના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થયો છે. આ પહેલાં લોકસભામાં વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરતાં ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા હતા. હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના 5 યુવકોના મોત થયા છે. જેમાં મહેસાણાના પાંચ યુવકોના હરિયાણામાં મોત થયા છે. આ સિવાયના મહત્વના સમાચાર પર એક નજર કરીએ.


વધુ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદમાં મહત્વપૂર્ણ સંબોધન

સરકારની વિરુદ્ધમાં વિપક્ષની તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે પીએમ મોદી જવાબ આપ્યો. મોનસૂન સત્રમાં વિરક્ષની તરફથી ભાજપના નેતૃત્વની સરકારની વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં 8-9 ઓગસ્ટે ચર્ચા થઈ હતી.

વધુ વાંચો : રાજકોટમાં મફત સરકારી દવાના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ થયો

રાજકોટમાં GMSCLમાં કૌભાંડ સામે આવ્યું છે. જેમાં મફત સરકારી દવાના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થયો છે. GMSCLના વેર હાઉસમાં કૌભાંડ ચાલી રહ્યું હતું.

વધુ વાંચો : મહાઠગ કિરણ પટેલને અમદાવાદ કોર્ટમાં રજુ કર્યો

જમ્મુ કાશ્મીરથી મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. જેમાં તેના ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડની ગ્રામ્ય કોર્ટમાં કાર્યવાહી પૂર્ણ થઈ છે. જેના બાદ મહાઠગને આવતીકાલે ફરીથી રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. મહાઠગ કિરણ પટેલ સામે નોંધાયેલી છેતરપિંડી કેસમાં તેને અમદાવાદ લવાયો છે.

વધુ વાંચો : પાડોશી રાજ્યમાંથી મળી આવ્યો ઓમિક્રોનનો નવો વેરિયંટ, તબીબોની ટીમ એલર્ટ

કોરોના વાયરસે ભારત સહિત દુનિયાના કેટલાય દેશની ચિંતા વધારી દીધી હતી. વાવડ એવા સામે આવ્યા છે કે, પાડોશી રાજ્યમાંથી ઓમિક્રોન વાયરસનો સબ વેરિયંટ 5.1.1 મળી આવ્યો છે. આવો એક કેસ સામે આવતા તબીબોના પેટમાં પણ ફાળ પડ્યો હતો.

વધુ વાંચો : મહોબ્બતની નહિ, તેમની ભ્રષ્ટાચારની દુકાન, સિંધિયાના વિપક્ષી ગઠબંધન પર પ્રહાર

લોકસભામાં વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરતાં ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા હતા.

વધુ વાંચો : હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના 5 યુવકોના મોત

હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના 5 યુવકોના મોત થયા છે. જેમાં મહેસાણાના પાંચ યુવકોના હરિયાણામાં મોત થયા છે. હરિયાણાના ઝજ્જરમાં અકસ્માત થયો છે. તેમાં ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત થયો હતો.

વધુ વાંચો : IND VS WI: ચોથી T-20માં આ ખેલાડીના રમવા પર સવાલ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 12 ઓગસ્ટે T-20 સીરિઝની ચોથી મેચ રમવામાં આવશે. અત્યાર સુધી રમવામાં આવેલી 3 મેચમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ 2-1થી આગળ છે. વેસ્ટ ઈન્ડીઝને સીરિઝ જીતવા માટે માત્ર 1 મેચ જીતવાની જરૂર છે, જ્યારે ભારતે સીરિઝ જીતવા માટે બંને મેચ જીતવાની જરૂર છે.

વધુ વાંચો : સાઉદી અરેબિયામાં હનીમૂનનો પ્લાન,નેપાળથી ભારત આવવા માંગતી હતી અંજુ...પતિએ ખોલ્યા રાજ

રાજસ્થાનના ભિવડીથી પાકિસ્તાન પહોંચેલી અંજુ ત્યાં જવા માટે ઘણા વર્ષોથી પ્લાન તૈયાર કરી રહી હતી. ભીવાડીમાં અંજુના પતિ અરવિંદે જણાવ્યું હતું કે અંજુ પાકિસ્તાન જતાં જ નસરુલ્લાહએ લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ બંનેને સાઉદી અરેબિયા ફરવા જવા માટે વિઝા મળી ગયા હતા.

વધુ વાંચો : નહીં થાય વિશ્વાસ...Appleનો જાદુ! ખોવાઇ ગઇ હતી બેગ,કંઇક આ રીતે મળી પાછી

આ દુનિયા ગેજેટ્સ અને ટેકનોલોજીથી ભરેલી છે. તમામ ગેજેટ્સ મનુષ્યની સુવિધા માટે વિકસાવવામાં આવ્યા છે. એપલ પણ એક એવી બ્રાન્ડ છે જેણે યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘણા પાવરફુલ ફોન, લેપટોપ અને ડિવાઈસ તૈયાર કર્યા છે. Appleનું આવું જ એક ગેજેટ છે AirTags.

વધુ વાંચો : ગદર 2 માટે સની દેઓલે ફી સાથે કર્યું સમાધાન! ડિરેક્ટરનો ચોંકાવનારો ખુલાસો

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2ને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જોવા મળી રહી છે. સની દેઓલ અને અમીષા પટેલ ફિલ્મની સફળતા માટે અલગ-અલગ શહેરોમાંથી મંદિરોમાં જવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી.

  • Follow us on: