રાજ્ય સરકારે ટેકાના ભાવે સોયાબિનની ખરીદી શરૂ કરી છે. પરંતુ ખેડૂતો દ્વારા ટેકાના ભાવને બાજુએ મુકીને માર્કેટ યાર્ડમાં સોયાબીન વેચવામાં આવી રહ્યું છે. સરકાર કરતાં માર્કેટ યાર્ડમાં ભાવ વધુ મળવાથી ખેડૂતોએ ટેકાના ભાવે સોયાબિનનું વેચાણ કરવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સોયાબીનના ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળ્યો
આ વર્ષે સારું વરસાદ થતાં સોયાબીનના ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. જેથી સરકારી ટેકાના ભાવે ગત 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોને સરકારી ટેકાના ભાવે વેચવા કરતા માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડ તરફ વળ્યા છે અને વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાંથી તેમજ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી સોયાબીન વેચવા માટે ખેડૂતો અહીં આવી રહ્યા છે.













