અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને ટકાઉ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસુ,અતિશય ગરમી અને બદલાતા વાતાવરણની નકારાત્મક અસરોથી બ્રિજોને સુરક્ષિત રાખવા માટે તંત્ર દ્વારા અંદાજે 2.81 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ કરીને શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બ્રિજોની કાયાપલટ કરવામાં આવશે.
ગુણવત્તા જાળવવા એન્ટી કાર્બોનેશન પેઇન્ટ કરાશે
વાતાવરણમાં થતા સતત બદલાવ અને પ્રદૂષણને કારણે બ્રિજના આરસીસી સ્ટ્રક્ચરને મોટું નુકસાન થતું હોય છે.બ્રિજની આંતરિક ગુણવત્તા અને મજબૂતાઈ લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે તેના પર ખાસ પ્રકારનો એન્ટી કાર્બોનેશન પેઈન્ટ કરવામાં આવશે.આ પેઇન્ટ બ્રિજને ભેજ, કેમિકલ અને વાતાવરણની હાનિકારક અસરોથી બચાવશે, જેનાથી બ્રિજનું આયુષ્ય વધશે.બ્રિજની મજબૂતાઈની સાથે-સાથે તેની સુંદરતામાં પણ વધારો કરવામાં આવશે.













