દેશભરમાં સરદાર સાહેબની 150મી જન્મજયંતી અવસરે ઉજવાઈ રહેલી કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા સરદાર@૧૫૦ યુનિટી માર્ચને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે તા.06 ડિસેમ્બરે પહોંચશે.


ભારતના સામર્થ્ય અને ગૌરવના ઇતિહાસનું જીવંત પ્રતિક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસના અવસરે ડો. બાબાસાહેબ આંબેડકર અને સંવિધાન સભાના સૌ સદસ્યોને આદરપૂર્વક નમન કરીને જણાવ્યું હતું કે,દેશભરમાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. આ ઉપક્રમે સરદાર સાહેબનું બાળપણ અને શાળા શિક્ષણ જ્યાં થયું હતું.તે પવિત્ર ભૂમિ કરમસદ થી એકતાના પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી યુનિટી માર્ચ યોજાઈ રહી છે.સરદાર સાહેબની આ અભૂતપૂર્વ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવના ઇતિહાસનું જીવંત પ્રતિક બની છે.

562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કર્યું

સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. સરદાર સાહેબે આપેલા રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે. આ પદયાત્રા દરમિયાન આયોજિત કાર્યક્રમોથી લોકો સરદાર સાહેબના જીવન મૂલ્યોને જાણશે અને રાષ્ટ્રીય એકતાનો ભાવ વધુ મજબૂત થશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સરદાર સાહેબ હંમેશા શ્રમિકો અને ખેડૂતોના હિત માટે કાર્યરત રહ્યા,જેમણે અમદાવાદના કામદારોના હક માટે અને ખેડા તથા બારડોલીના ખેડૂતોના ન્યાય માટે અંગ્રેજી હકુમતને હચમચાવી નાખી હતી.

આ પણ વાંચોઃ Godhra : નદીસર ગામે ગૌચર જમીનમાં ગેરકાયદે ખોદકામ, ખનીજ માફિયા સામે 4 કરોડથી વધુની વસૂલાત માટે ફરિયાદ


  • Follow us on: