ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અને તે જૈન મંદિર હોવાના દાવાને લઈને ચાલી રહેલો વિવાદ આજે રસ્તા પર ઉતરી આવ્યો છે. આ મામલે પોતાનો વિરોધ નોંધાવવા સંત સમાજ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ રેલી શક્તિનાથ થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી.
35,000 લોકોના હસ્તાક્ષર સાથેનું એક મહત્વપૂર્ણ આવેદનપત્ર
આ રેલીમાં ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં હિન્દુ અને જૈન સમાજના આગેવાનો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આંદોલનકારીઓએ પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે 35,000 લોકોના હસ્તાક્ષર સાથેનું એક મહત્વપૂર્ણ આવેદનપત્ર કલેક્ટરને સોંપ્યું છે.













