ગુજરાતમાં માલેતુજાર પરિવારના નબિરાઓ બેફામ બન્યાં છે. તથ્ય પટેલ બાદ અનેક નબિરાઓ દ્વારા થયેલા અકસ્માત સામે આવી રહ્યાં છે. આવા નબીરાઓને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોય તેવી સ્થિતિ સામે આવી છે. રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં એક નબીરો બેફામ બન્યો હતો. નશાની હાલતમાં ચારથી પાંચ વહાનોને થાર ગાડીથી ટક્કર મારી ફરાર થવાની કોશિશ કરી હતી.
પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી
આ નબીરાને પકડવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે આરોપીનો પીછો કરીને રોક્યો હતો. શેઠ વડાળા પોલીસે ભાયાવદર પોલીસને જાણ કરતાં પોલીસના કાફલાએ સરદાર ચોકમાં થાર ગાડી પકડવા માટે નાકા બંધી કરી દીધી હતી. થાર ચાલક ભાયાવદર પહોંચતા જ પોલીસને જોઈને ભાગવાનો પ્રયત્ન કરતાં પોલીસે 112 નંબરની ગાડી વચ્ચે નાંખી હતી. થાર ચાલક નશામાં હોવાથી ગાડી નહોતો ઉભી રાખતો.













