ગુજરાતમાં યુવાન વયના લોકોમાં આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટના ગોંડલમાં એક યુવાને ટ્રેન નીચે પડતુ મુકીને જીવન ટૂંકાવ્યું હતું. સુરેશ્વર ફાટક પાસે 21 વર્ષિય યુવકે આપઘાત કર્યો હતો. રાજકોટ વેરાવળ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.


ગોંડલમાં યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

ગોંડલમાં સુરેશ્વર ફાટક પાસે 21 વર્ષિય યુવકે રાજકોટ વેરાવળ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો છે. પારડીમાં રહેતા પ્રદીપ પરમારે આપઘાત કરી લીધો છે. લગ્ન પ્રસંગમાંથી પરત આવ્યા બાદ તેણે ટ્રેન નીચે પડતું મુક્યું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ IND Vs PAK : કોલંબોમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, 3 ગુજરાતીઓએ પાકિસ્તાનના સૂપડા કર્યા સાફ


  • Follow us on: