સાબરકાંઠાના હિંમતનગરમાં જમીન મુદ્દે થયેલા ઝગડામાં લોહિયાળ જંગ ખેલાયો હતો. કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઈને કૌટુંબિક ઝઘડો થયો હતો. આ ઝગડામાં મારામારી થતાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


જમીન મુદ્દે ઝઘડામાં લોહિયાળ જંગ ખેલાયો

મળતી માહિતી મુજબ હિંમતનગરના કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઈને પરિવારમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.આ વિવાદે રવિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષ વચ્ચે તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી થઈ હતી.આ ઘટનામાં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ મારામારી દરમિયાન અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જેઓને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યારે મૃતક ધર્મેન્દ્રસિંહ ઝાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

હિંમતનગર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. હાલમાં હત્યા કરનાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.સમગ્ર મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ઘટનાને પગલે ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે અને કઠવાડિયા ગામ હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.


આ પણ વાંચોઃ Tapi News : તાપીના ઉચ્છલમાં કારના ચાલકે 3 યુવકને ઉડાવ્યા, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત તો એકનું સારવાર દરમિયાન મોત


  • Follow us on: