ગુજરાત રાજ્યના વહીવટી માળખામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના GAS કેડરના અધિકારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ગુજરાતના 17 GAS કેડરના અધિકારીઓને પ્રમોશન આપીને તેમની IASમાં નિમણૂક કરવામાં આવી છે.લાંબા સમયથી પ્રતીક્ષિત આ પ્રમોશન પ્રક્રિયા પૂર્ણ થતાં રાજ્યના વહીવટી તંત્રમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ 17 અધિકારીઓને મળ્યું પ્રમોશન
17 અધિકારીઓને IAS તરીકે પ્રમોશન
આ અધિકારીઓને તેમની કામગીરીના આધારે IAS કેડરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.આ નિર્ણયથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં કાર્યરત વરિષ્ઠ અધિકારીઓને મોટી રાહત અને પ્રોત્સાહન મળ્યું છે.આ ફેરફારથી વહીવટી કામગીરીમાં વધુ ગતિશીલતા આવશે.કારણ કે હવે આ અધિકારીઓ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય હોદ્દાઓ પર સીધી જવાબદારી સંભાળી શકશે.













