વડાપ્રધાન મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયાં છે. તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા આ 12 વર્ષના કાર્યકાળ અંતર્ગત પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જોડાયા હતાં.
25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા
આ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 2014 બાદ દેશમાં રાજનીતિ બદલાઈ છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે આ યાત્રા આગળ વધી છે. વડાપ્રધાન મોદીના શાસનમાં દેશની જનતાનું અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું છે. આજે ગરીબોના જીવનમાં સુધારો લાવવા માટે ટેક્નોલોજી મહત્વપૂર્ણ છે. દેશમાં રોજના 66 કરોડથી વધુ ટ્રાન્જેક્શન યુપીઆઈ દ્વારા થાય છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ થાય છે. વડાપ્રધાને એર સ્ટ્રાઈક થકી આતંકવાદને જવાબ આવ્યો છે.













