યાત્રાધામ પાવાગઢ ડુંગર પર પડેલા ભારે વરસાદના કારણે પાટિયાપુલ નજીક અચાનક એક મોટી ભેખડ ધસી પડતાં ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે બનેલી આ હોનારતમાં પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ પગથિયાં પર ખાબકતાં દર્શન કરવા આવેલા બે શ્રદ્ધાળુઓના દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 4 યાત્રાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પણ હોસ્પિટલ પહોંચીને ઘાયલોની મુલાકાત લીધી હતી અને તેમની સ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. હાલ તંત્ર દ્વારા પર્વત પરના જોખમી સ્પોટનું સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી આવી ઘટના ફરી ન બને.
બે થી વધુ વ્યક્તિઓ પથ્થરો નીચે દબાયા
આ દુર્ઘટના એટલી અચાનક થઈ કે ત્યાં હાજર લોકોને સંભાળવાની તક પણ ન મળી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ભેખડ ધસી પડવાની ઘટનામાં બે થી વધુ વ્યક્તિઓ પથ્થરો નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.













