અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી શપથ-4 બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. બિલ્ડિંગના આઠમા માળે આવેલા એક એકમમાં ACમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. ઘટનાનો કોલ મળતાંની સાથે જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ઉનાળાની શરૂઆત સાથે ACમાં આગ લાગી
ઉનાળો આવતાની સાથે જ ACમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં શપથ-4 બિલ્ડિંગમાં આઠમા માળે સ્થિત એક એકમમાં ACમાં આગ લાગી હતી. આગની ઘટનાનો કોલ મળતાં જ બોડકદેવ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી.













